મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ગ્રાહક સુરક્ષા મંડળની દરમ્યાનગીરીથી વધુ એક ગ્રાહકને વીમો મળ્યો


SHARE











મોરબી જીલ્લામાં ગ્રાહક સુરક્ષા મંડળની દરમ્યાનગીરીથી વધુ એક ગ્રાહકને વીમો મળ્યો

હળવદના શિવપુરના વતની વિપુલકુમાર નરભેરામભાઈ ગામીએ વાહન પાર્ક કરેલ હતુ તેને ટકકર લાગતા નુકશાન થયેલ હતું જેથી રીલાયન્સ ઇન્સ્યુરન્સ કંપનીમાં વીમા અંગે તમામ કાગળો રજુ કરતાં વીમા કંપનીએ સામાન્ય કારણોસર વીમો નામંજુર કરતા વિપુલભાઇ ગામીએ મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં કેઈસ દાખલ કરવામાં આવ્યું હતો અને ગ્રાહક અદાલતે વીમા કંપનીને એક લાખ રૂપિયા અને દશ હજાર ખર્ચના આઠ ટકાના વ્યાજ તા.૩/૧૦/૨૦૨૦ થી ચુકવવાનો આદેશ કરેલ છે.

હળવદના શિવપુરના રહીશ વિપુલફમાર નરભેરામાઇ ગામીનું વાહન પાર્ક કરેલ હોઇ તેને ઠોકર લાગતા વાહનને નુકશાન થયેલ તેણે રીલાયન્સ ઈન્સ્યુરન્સ વીમા કંપનીમાં તમામ કાગળો અને બીલો રજુ કરેલ પરંતુ વીમા કંપનીએ સામાન્ય કારણો બતાવી અને કહેલ કે પોલીસની શરતોમાં આવતુ ના હોય વીમા મળી શકે નહીં જેથી ગ્રાહક મોરબી શહેર/ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં ફરિયાદ દાખલ કરેલ હતો અને ગ્રાહક અદાલતે જણાવેલ કે ગ્રાહક વીમાનું પ્રિમીયમ ભરેલ છે વીમાના હકદાર છે. વીમા કંપનીને ગ્રાહકે નિયત સમયમાં કાગળો રજુ કરેલ છે માટે વીમા કંપનીએ વિપુલભાઈને એક લાખ રૂપિયા અને દશ હજાર ખર્ચના આઠ ટકા ના વ્યાજ અને કેઇસ દાખલ તા. ૩/૧૦/૨૦૨૦ થી ચુકવવાનો આદેશ કરેલ છે. તેવું ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા (૯૮૨૫૭ ૯૦૪૧૨) અને મંત્રી રામ મહેતાએ જણાવ્યુ છે






Latest News