રાજયમાં દલીતો ઉપર થતા અત્યાચારો રોકવા મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતી અનુસુચિત જાતી વિભાગે કરી રજૂઆત
મોરબીની નવયુગ કોલેજમાં સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિની હાજરીમાં માર્ગદર્શન સેમિનાર યોજાયો
SHARE
મોરબીની નવયુગ કોલેજમાં સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિની હાજરીમાં માર્ગદર્શન સેમિનાર યોજાયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. ગિરિશ ભિમાણીએ મોરબીની નવયુગ કોલેજના પ્રથમ વર્ષમાં એડમિશન લેતા B.Sc, B.B.A, B.Com ના સ્ટુડન્ટ્સને કારકિર્દીની શરૂઆત કરતા સફળતાનો મંત્ર આપતા પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓની જીવનશૈલી અને કાર્યપદ્ધતિ કેવી હોવી જોઈએ તેનાથી માહિતગાર કર્યા હતા. આ પ્રોગ્રામમાં ઉપસ્થિતિ નવયુગના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને લોકસાહિત્યની દુનિયામાં મોટુ નામ એવા રાજુભાઈ આહિરે તેની ભાતિગળ શૈલીમાં વિદ્યાર્થીઓને રમુજની સાથે જ્ઞાન પીરસ્યું હતું તો સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા સાહેબ, મોરબી પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીના પુર્વ ચેરમેન સુરેશભાઈ દેસાઈ, શ્રીમતી રંજનબેન પી. કાંજીયા, બલદેવભાઈ સરસાવાડીયા તેમજ દરેક વિભાગના પ્રિન્સિપાલ અને સ્ટાફ ગણે હાજરી આપી હતો.