મોરબી જીલ્લામાં ગુડા તત્વો બેખોફ, પોલીસ તંત્ર મુકપ્રેક્ષક: મોરબી જીલ્લા કોંગ્રેસ
રાજયમાં દલીતો ઉપર થતા અત્યાચારો રોકવા મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતી અનુસુચિત જાતી વિભાગે કરી રજૂઆત
SHARE
રાજયમાં દલીતો ઉપર થતા અત્યાચારો રોકવા મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતી અનુસુચિત જાતી વિભાગે કરી રજૂઆત
મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતી અનુસુચિત જાતી વિભાગના પ્રમુખ દિપક પરમાર (એડ.)ની આગેવાની હેઠળ મોરબીના પ્રાંત અધિકારી મારફતે રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં લખ્યું છે કે, ગુજરાતમાં છાશવારે જુદાજુદા જીલ્લાઓમાં દલીતો ઉપર એનકેન પ્રકારે તેમની મિલ્કતો હડપ કરવા તેમજ દલીતો પત્યે અભડછેટ રાખવા બાબતે, મુછો રાખવા બાબતે, ઘોડીઓ ઉપર વરઘોડો કાઢવા બાબતે વિગેરેમાં અત્યાચારો થતા હોય છે જેમાં જવાબદાર અધિકારીઓ પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંડોવાયેલા હોય છે. ત્યારે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી ખુબ જ ગંભીર છે અને દલીતો પ્રત્યે આ રીતનું જે વર્તન થાય છે તે બંધારણથી વિરૂધ્ધ છે. તાજેતરમાં સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના સમઢીયાળા ગામે દલીત ખેડુત અલજીભાઇ પરમાર તથા મનજીભાઇ પરમારની હત્યા કરવામાં આવી છે અને તેમના પરિવારજનોને ઈજા પહોંચાડવામાં આવેલ છે હાલ તેમના પરિવારમાંથી અમુક સભ્ય હોસ્પીટલાઇઝ છે. મરનાર વ્યકિતઓ તથા ઇજા પામનારાઓ દલીત સમાજમાંથી આવે છે. તેમની વડીલોની ખેતીની જમીન સંબંધમાં કોર્ટમાં કેશ ચાલતો હોય જેમાં તેમનો વિજય થતા સામાવાળા દ્વારા આ સહન નહી થતા તેમના ઉપર જીવલેણ હુમલો કરવામાં આવેલ જેમાં બે સગાભાઇઓની હત્યા થયેલ હતી જો કે, આ ઘટના પહેલા પરિવારના લોકોએ સ્થાનીક પોલીસ તંત્રને લેખીતમાં જાણ કરેલ હતી કે આરોપીઓ કોઇપણ સમયે તેમની સામે જીવલેણ હુમલો કરશે તો પણ પોલીસ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની ગંભીરતા રાખવામાં આવેલ ન હતી. સમગ્ર રાજયમાં ખુબજ વ્યાપક પ્રમાણમાં કોઇપણ રોકટોક વગર દલિતો ઉપર અત્યાચારો કરવામાં આવે છે અને સરકાર આ બાબતે કોઇપણ ગંભીરતા દાખવતી નથી. જેથી સમગ્ર મોરબી જીલ્લા દલીત સમાજ તેમજ મોરબી જીલ્લા કોંગ્રેસ સમીતી અનુસુચિત જાતી વિભાગની માંગણી છે કે આ કામે જવાબદાર અધિકારીઓને ગુન્હાના કામે આરોપી બનાવવામાં આવે તેમજ તેમને હોદા ઉપરથી ડિસમિસ કરવામાં આવે તેવી માંગ કરી છે