મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારા પોલીસ સ્ટેશનના રણુભા રીટાર્યડ થતા વિદાયમાન સમારોહ યોજાયો


SHARE











ટંકારા પોલીસ સ્ટેશનના રણુભા રીટાર્યડ થતા વિદાયમાન સમારોહ યોજાયો

ટંકારા પોલીસ મથકના  રણુભાના હુલામણા નામથી ખ્યાતનામ રણધીરસિહ નારૂભા ઝાલા વય મર્યાદા પુર્ણ થતા ટંકારા પોલીસ મથકે ભાવ ભર્યુ વિદાયમાન કાર્યક્રમ યોજાયો હતો. તેઓએ નોકરી દરમિયાન  ફરજપાલનથી કડક સલામતીની અનેક સિધ્ધિઓ હાસલ કરી હતી. જેથી અધિકારીઓ તથા પંથકમાં માનસન્માન મેળવ્યુ હતું.

મહેસાણાના કટોસણ સ્ટેટના પરીવારના યુવા ઉત્સાહી યુવાન રણુભા તા.૧-૮-૮૯ મા પોલીસ ટ્રેનિંગ પાસ કરી પહેલું પોસ્ટિગ રાજકોટ ગ્રામ્યમા હાજર થયા.ત્યારબાદ નોકરીકાળ દરમિયાન સૌરાષ્ટ્રને કર્મ ભુમી માની રણધીરસિહ નારૂભા ઝાલાએ રાજકોટ જિલ્લામાંજ ફરજ બજાવી અને મોરબી જીલ્લો થતા વાકાનેર અને ટંકારા પોલીસ મથકમાં ફરજ બજાવતા તા.૩૦-૬-૨૩ મા વય મર્યાદા પુર્ણ થતા ટંકારા પોલીસ સ્ટેશનના થાણા અમલદાર એચ આર હેરભા ઈચા.ફોજદાર બી.ડી.સોનારા સહિતના સ્ટાફે માન ભેર વિદાયમાન આપ્યુ હતું.સાથે શેશ જીવન શારીરીક સ્વસ્થતા સાથે સુખમય રહે તેવા અભિનંદન સૌએ પાઠવ્યા હતા.આ તકે ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડૉ દીપ ચિખલિયા અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.રણુભાએ સૌરાષ્ટ્રમાં વતન માની હોસ્પિટલમાં ફરજ બજાવતા રંજનબા સાથે લગ્ન કર્યા અને ટંકારા સિવિલ હોસ્પિટલમાં ફરજ પર હાજર થયા અને ટંકારાને પોતિકુ ગણી નગરજનોના હ્રદયમાં સ્થાન પામ્યા પોલીસ સ્ટેશન નજીક આવેલા હોસ્પિટલના ક્વાર્ટરમાં રહી દર્દીઓ માટે કુણી લાગણી રાખતા સૌના પ્રિય પણ બન્યા હતા. આજે તેમનો પુત્ર યુવરાજસિહ મુળ વતન મહેસાણા બિએસસી નર્સિંગ અભ્યાસ બાદ  હોસ્પિટલમાં ફરજ બજાવે છે.






Latest News