મોરબીના પીપળી રોડ અને લીલાપર રોડેથી સગીરાના અપહરણ કરનારાઓ પકડાયા, જેલ હવાલે મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા 19 અસહાય માતાઓને રાશન કીટ અર્પણ મોરબી સહિત ગુજરાતના પ્રાથમિક શિક્ષકોને શિક્ષણ સિવાય અનેકવિધ કામગીરીઓનું ભારણ વધી જતાં મુંઝવણ અને મુશ્કેલીમાં વધારો મોરબીમાં જેહાદી માનસિકતાના પુતળા દહન કરીને હિંદુ સંગઠનોએ આવેદનપત્ર પાઠવ્યું આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનિષાબેન ચંદ્રાએ જિલાના વિવિધ વિભાગની કામગીરીની સમીક્ષા કરી


SHARE













મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનિષાબેન ચંદ્રાએ જિલાના વિવિધ વિભાગની કામગીરીની સમીક્ષા કરી

સ્યુસાઈડ બાબતે બાળકોને શાળા કક્ષાએથી જ માર્ગદર્શન આપવું” : મોરબી પ્રભારી સચિવ મનિષાબેન ચંદ્રા


મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનિષાબેન ચંદ્રાના અધ્યક્ષસ્થાને આજરોજ મોરબી જિલ્લા સેવા સદનમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.આ સમીક્ષા બેઠકમાં બિપરજોય વાવાઝોડા દરમ્યાન થયેલ નુકશાનની ચર્ચા કરી મોરબી જિલ્લાના સાંપ્રત મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જે અનુસાર મોરબી જિલ્લામાં આશરે ૯૪ ટકા વાવેતર થઈ ચુક્યું છે ત્યારે વાવેતરમાં ઉપયોગી એવું પાણીને ખેડૂતો સુધી ૧૦૦ ટકા પહોચેં તે માટે સુચના આપી હતી. ઉપરાંત મોરબી જિલ્લાના ડેમની જળ સપાટી અંગે પણ ચર્ચા કરવામા આવી હતી.

આ સમીક્ષામાં તેમણે બિપરઝોય વખતે થયેલ પીજીવીસીએલ, રસ્તા, નાળા, મત્સય ઉદ્યોગ, નવલખી પોર્ટ, કારખાના વગેરે જગ્યા એ જે નુકશાન થયું છે તેની જિલ્લા દ્વારા ભરપાઈ કરવામાં આવી રહી છે તેમ જણાવી, હળવદ તાલુકામાં આરોગ્ય અધિકારીની નિમણુંક કરી તાલુકાને આરોગ્ય ક્ષેત્રે મજબૂત બનાવવા માટે સુચનો કરવામાં આવ્યા હતા, આ સાથે વધતા જતા ટીબીના કેસને ધ્યાનમાં લઈને તેનું ૧૦૦ ટકા નિરાકરણ કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો.જિલ્લાની તમામ સગર્ભા અને ૫ વર્ષ સુધીના બાળકોને ન્યુટ્રીશનનો પુરતો લાભ મળી રહે તે માટે તેઓને સહમત કરવા માટેના પગલા લેવા માટે જણાવવામાં આવ્યુ હતું. સાથોસાથ મોરબી જિલ્લામાં વધી રહેલા આત્મહત્યાના કેસ પર નજર નાખતા આ મુદ્દા પર ગંભીર ચર્ચા કરી ઊંડાણપુર્વક સર્વે કરી કાઉન્સિલીંગ અને સેમિનાર આયોજીત કરી લોકોને જાગૃત કરવા તેમજ બાળકોને શાળાનાં અભ્યાસ દરમ્યાન જ આત્મહત્યા ન કરવા માટે જ્ઞાન આપવા માટે જણાવવામાં આવ્યું હતું.

ઉપરાંત શાળાનો અભ્યાસ છુટી ગયેલા બાળકોનો ફરી શાળા પ્રવેશ કરાવવા અને વિકસતી જાતીના બાળકો વધુ ને વધુ અભ્યાસ કરે તે માટેના જરૂરી તમામ પગલા ભરવા માટેની ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, જિલ્લા પોલિસ વડા રાહુલ ત્રીપાઠી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈશીતાબેન મેર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેન દવે વગેરે અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News