મોરબી જલારામ પ્રાર્થના મંદિરે સદાવ્રતમા મહાપ્રસાદ યોજતા ક્ષત્રિય યુવાનો
SHARE
મોરબી જલારામ પ્રાર્થના મંદિરે સદાવ્રતમા મહાપ્રસાદ યોજતા ક્ષત્રિય યુવાનો
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામા આવે છે ત્યારે મોરબી ક્ષત્રિય સમાજના મયુરસિંહ હરપાલસિંહ જાડેજા (ચાંદલી) એ સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પૂજ્ય જલારામ બાપાના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.આ તકે મયુરસિંહ જાડેજા (ચાંદલી), ભવ્યરાજસિંહ જાડેજા, વિશાલભાઈ બાંભવા, જયદીપભાઈ વૈષ્ણવ, દીગુભા રાઠોડ, સોહિલભાઈ સુમરા, અર્જુનભાઈ ભાનુશાલી, નિખિલભાઈ છગાણી સહીતનાં અગ્રણીઓએ ઉપસ્થિત રહી પૂ. જલારામ બાપાની મહાઆરતી કરી પોતાના હસ્તે પ્રસાદ વિતરણ કરી ધન્યતા અનુભવી હતી