મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં ફેકટરી પ્રદુષણથી ખેડૂતના ખેતરમાં ઉગાડેલ પાકને થયેલ નુકશાની યોગ્ય તપાસ કરી વળતર ચુકવવા માંગ


SHARE















મોરબીમાં ફેકટરી પ્રદુષણથી ખેડૂતના ખેતરમાં ઉગાડેલ પાકને થયેલ નુકશાની યોગ્ય તપાસ કરી વળતર ચુકવવા માંગ

ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાંતિભાઈ બાવરવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું હતુ કે, વાંકાનેરના ખેડૂત ખાતેદારને બાજુમાં આવેલા કારખાનાની પ્રદૂષણના લીધે ખેતીમાં થયેલ નુકસાની બાબતે વળતર ચૂકવવામાં આવે તેવી રજૂઆત તેઓને કરવામાં આવેલ હોય તેના પગલે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિયેશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ હવે લેખીતમાં ખેડૂતના નુકસાની બાબતે યોગ્ય તપાસ કરાવી વળતર ચૂકવવામાં આવે તેવી માંગ દોરાવવામાં આવી છે.


વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે, વાંકાનેરના ખેડૂત ખાતેદાર ભોરણીયા રફીક સવાહી તરફથી અરજી મળેલ છે.તેઓના જણાવવા મુજબ તેઓએ વાવેલ પાકમાં કોઈ ફેક્ટરીના પ્રદુષણના કારણે પાકમાં નુકશાન થવા પામેલ છે.જો કોઈ ફેક્ટરી વાળા પોતાની બેદરકારી દ્વારા કોઈ ખેડૂતને નુકશાન જાય તેવું કૃત્ય કરે અને ખેડૂતને નુકશાન જાય તેવું બને તો તેની સરકારે યોગ્ય તપાસ કરીને ખેડુતને યોગ્ય વળતર ચુકવવું જોઈએ અને સામે આવી ફેક્ટરીને ક્લોઝર આપીને કાયમી ધોરણે બંધ કરાવવી જોઈએ.તો અમારી માંગણી છે કે આ બાબતે યોગ્ય તપાસ કરી વૈજ્ઞાનિકો દ્વારા લેબોરેટરી કરીને ક્યાં ફેકટરી વાળાની બેદરકારીથી આવું થવા પામેલ છે.તે નક્કી કરીને તે ફેકટરી માલિકો સામે કાયદેસરના પાગલ લેવા જોઇએ તેવી આમારી માંગ છે.

જો આ બાબતે યોગ્ય કરવામાં નહિ આવે તો ના છુટકે ગ્રીન ટ્રીબ્યુંનલમાં ફરિયાદ કરવાની ફરજ પડશે. તેમજ ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે.તો આ બાબતે વહેલાસર યોગ્ય કરવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ રાજયના મુખ્યમંત્રીને વિનંતી કરેલ છે.






Latest News