મોરબી જિલ્લા HTAT મુખ્ય શિક્ષકોનું રવાપર તાલુકા શાળા ખાતે અધિવેશન યોજાયું
મોરબીના સોઓરડીમાંથી ગુમ થયેલ વાંકાનેરથી મળ્યો
SHARE
મોરબીના સોઓરડીમાંથી ગુમ થયેલ વાંકાનેરથી મળ્યો
મોરબીના સોઓરડી વિસ્તારમાંથી તરૂણ ગુમ થયો હતો જેથી પરિવારજનો અને પોલીસ તેને શોધી રહી હતી અને આ બાળક હાલમાં વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતેથી તે બાળક મળી આવેલ છે જેથી કરીને પોલીસે અને પરિવારે રાહતનો શ્વાસ લીધેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલા સોઓરડી વિસ્તારની શેરી નં-૧૦ માં રહેતા ધ્રુવરાજસિંહ અજયસિંહ જાડેજા (૧૫) નામનો તરૂણ રવિવારે સવારે ઘરેથી નીકળી ગયો હતો જેથી ગુમ થયેલા બાળકને શોધવા માટે પરિવારજનો કવાયત કરી રહ્યા હતા અને ત્યાર બાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે અને પરિવારજનો બાળકને શોધી રહ્યા હતા અને તેવામાં આ બાળક હાલમાં વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતેથી મળી આવેલ છે તેવું તેના પરિવારજન પાસેથી જાણવા મળેલ છે વધુમાં મળતી માહિતી મુજબ બાળકને ઘરે વાંચવા લખવા માટે ઠપકો આપ્યો હતો જેથી કરીને તે રેમું ટ્રેનમાં બેસીને મોરબીથી વાંકાનેર ચાલ્યો ગયો હતો જો કે, બાળક હેમખેમ મળી આવતા હાલમાં પરિવારને મોટી રાહત થયેલ છે