માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

 મોરબીથી સાળંગપુર જવાનું કહીને નીકળ્યા બાદ ગુમ થયેલ યુવાન હેમખેમ મળી આવ્યો


SHARE













 મોરબીના ઉમિયાનગરમાંથી ગુમ થયેલ યુવાન હેમખેમ મળી આવ્યો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં માળિયા વનાળીયા સોસાયટી પાસે આવેલ ઉમિયાનગર વિસ્તારમાંથી યુવાન પોતાના ઘરેથી ગુમ થઈ ગયો હતો અને ત્યારબાદ તેની ગુમસુધા ફરિયાદ પણ મોરબી પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી જેથી પોલીસ અને પરિવાર તેને શોધી રહ્યો હતો દરમિયાન યુવાન અમદાવાદ ખાતે રહેતા તેના ફૈબાના ઘરેથી મળી આવ્યો હોય હાલમાં પરિવારજન અને પોલીસે રાહત શ્વાસ લીધો છે અને યુવાન જુદા જુદા મંદિરોએ દેવ દર્શન કરવા માટે પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં માળિયા વનાળીયા સોસાયટીની પાછળના ભાગમાં આવેલ ઉમિયાનગરમાં રહેતા મંજુબેન છગનભાઈ સોલંકી (૬૦) મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેનો દીકરો દિલીપ છગનભાઈ સોલંકી (૨૮) ગત તા. ૨૩/૬ થી પોતાના ઘરેથી સાળંગપુર દર્શન કરવા માટે જવાનું કહીને નીકળ્યો હતો ને ત્યારબાદ તે ગુમ થઈ ગયો હતો જેથી તેની ગુમશુધા ફરિયાદ પોલીસ સ્ટેશન ખાતે લઈને પોલીસ તથા પરિવારજનો દ્વારા દિલીપ સોલંકીને શોધવા માટે કવાયત કરવામાં આવી હતી દરમિયાન તે અમદાવાદ ખાતે તેના ફૈબા લીલાબેનના ઘરેથી હાલમાં મળી આવ્યો છે વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે દિલીપ સોલંકી બગદાણા દ્વારકા જુનાગઢ સોમનાથ વિગેરે જગ્યાએ દેવ દર્શન કરવા માટે પોતાની રીતે ચાલ્યો ગયો હતો

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના લક્ષ્મીનગર ગામે રહેતા ગગજીભાઈ મેરાભાઇ (૬૦)ને મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ જનકપુરી સોસાયટી પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી  ઇજાગ્રસ્ત હાલતમાં તેને રાહુલભાઈ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવવા અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. #MORBI TODAY






Latest News