મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

 મોરબીથી સાળંગપુર જવાનું કહીને નીકળ્યા બાદ ગુમ થયેલ યુવાન હેમખેમ મળી આવ્યો


SHARE











 મોરબીના ઉમિયાનગરમાંથી ગુમ થયેલ યુવાન હેમખેમ મળી આવ્યો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં માળિયા વનાળીયા સોસાયટી પાસે આવેલ ઉમિયાનગર વિસ્તારમાંથી યુવાન પોતાના ઘરેથી ગુમ થઈ ગયો હતો અને ત્યારબાદ તેની ગુમસુધા ફરિયાદ પણ મોરબી પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી જેથી પોલીસ અને પરિવાર તેને શોધી રહ્યો હતો દરમિયાન યુવાન અમદાવાદ ખાતે રહેતા તેના ફૈબાના ઘરેથી મળી આવ્યો હોય હાલમાં પરિવારજન અને પોલીસે રાહત શ્વાસ લીધો છે અને યુવાન જુદા જુદા મંદિરોએ દેવ દર્શન કરવા માટે પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં માળિયા વનાળીયા સોસાયટીની પાછળના ભાગમાં આવેલ ઉમિયાનગરમાં રહેતા મંજુબેન છગનભાઈ સોલંકી (૬૦) મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેનો દીકરો દિલીપ છગનભાઈ સોલંકી (૨૮) ગત તા. ૨૩/૬ થી પોતાના ઘરેથી સાળંગપુર દર્શન કરવા માટે જવાનું કહીને નીકળ્યો હતો ને ત્યારબાદ તે ગુમ થઈ ગયો હતો જેથી તેની ગુમશુધા ફરિયાદ પોલીસ સ્ટેશન ખાતે લઈને પોલીસ તથા પરિવારજનો દ્વારા દિલીપ સોલંકીને શોધવા માટે કવાયત કરવામાં આવી હતી દરમિયાન તે અમદાવાદ ખાતે તેના ફૈબા લીલાબેનના ઘરેથી હાલમાં મળી આવ્યો છે વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે દિલીપ સોલંકી બગદાણા દ્વારકા જુનાગઢ સોમનાથ વિગેરે જગ્યાએ દેવ દર્શન કરવા માટે પોતાની રીતે ચાલ્યો ગયો હતો

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના લક્ષ્મીનગર ગામે રહેતા ગગજીભાઈ મેરાભાઇ (૬૦)ને મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ જનકપુરી સોસાયટી પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી  ઇજાગ્રસ્ત હાલતમાં તેને રાહુલભાઈ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવવા અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. #MORBI TODAY






Latest News