મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

રાજ્યસભામાં બિનહરીફ વિજેતા જાહેર થતાં વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ ઝાલાએ જડેશ્વર મહાદેવને શીશ ઝુકાવ્યું


SHARE













રાજ્યસભામાં બિનહરીફ વિજેતા જાહેર થતાં વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ ઝાલાએ જડેશ્વર મહાદેવને શીશ ઝુકાવ્યું

ગુજરાતમાં રાજ્યસભાના ત્રણ સંસદો માટે ભાજપ દ્વારા જે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા અને ફોર્મ ભરવામાં આવ્યા હતા તે ત્રણેય ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે ત્યારે તે ત્રણ પૈકીના એક મોરબી જિલ્લાના વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ ઝાલા રાજ્યસભાના બિનહરીફ સાંસદ બન્યા છે ત્યારે તેઓએ બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવતાની સાથે જ તેઓ પ્રથમ મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકામાં રતન ટેકરી ઉપર બિરાજતા સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોચાયા હતા અને મહાદેવજીનું પૂજન અર્ચન કરીને મહાદેવજીને શીશ ઝુકાવ્યું હતું અને ભવિષ્યમાં સારામાં સારા લોક ઉપયોગી કામ તેમના માધ્યમથી થાય તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ મહારાણા કેસરીદેવસિંહ ઝાલાના પિતાનું અવસાન થયા બાદ તેમની રાજતિલક વિધિનો પાંચ દિવસનો કાર્યક્રમ યોજાયો હતો અને ત્યારે પણ આ કાર્યક્રમની શરૂઆત પ્રથમ દિવસે સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજન અર્ચન કરીને કરવામાં આવી હતી ત્યારબાદ રાજતિલક વિધિ અંતર્ગત જુદા જુદા કાર્યક્રમો યોજાયા હતા અને હાલમાં પણ તેઓ જ્યારે રાજ્યસભાના બિનહરીફ સાંસદ તરીકે જાહેર થઈ ગયા છે ત્યારે સર્વપ્રથમ તેઓએ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે મહાદેવના આશીર્વાદ લીધા હતા ત્યારે તેઓના ધર્મપત્ની પણ ત્યાં તેઓની સાથે હાજર રહ્યા હતા






Latest News