મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીના ભડીયાદ પાસે કારખાનામાં મજૂરી કામ કરતાં પરિવારની બે સગીરાના અપહરણના ગુનામાં આરોપીની ધરપકડ 


SHARE









મોરબીના ભડીયાદ પાસે કારખાનામાં મજૂરી કામ કરતાં પરિવારની બે સગીરાના અપહરણના ગુનામાં આરોપીની ધરપકડ 

મોરબીના ભડીયાદ નજીકના સિરામિક યુનિટમાં રહીને મજૂરી કામ કરતા અને મૂળ રાજકોટના કુવાડવાના રહેવાસી પરિવારની બે સગીર વયની દીકરીઓનું અપહરણ થયું હતું જેની મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે રાજકોટમાં રહેતા મુસ્લિમ યુવાન વિરુદ્ધ ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આરોપીની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

મૂળ રાજકોટના કુવાડવાના રહેવાસી અને છેલ્લા કેટલાક સમયથી રાજકોટના જ કોઠારીયા મેઇન રોડ રણુજા મંદિરની સામે આવેલ વછરાજનગર વિસ્તારમાં રહેતા અને હાલ છેલ્લા ચારેક મહિનાથી મોરબીના સામાકાંઠે ભળિયાદ રોડ ઉપર આવેલા સિરામિક યુનિટના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતાં પરિવારની બે સગીરવયની દીકરીઓના અપહરણ કરવામાં આવ્યું હતું અને સગીરાની માતાએ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તેની બે દીકરી જેમાં મોટી ૧૫ વર્ષની અને નાની ૮ વર્ષની દીકરીનનું અપહરણ કરવામાં આવ્યું છે જેની પરિવારજનોએ શોધખોળ કરી હતી તો પણ પત્તો લાગ્યો ન હતો જેથી કરીને પોલીસે સગીરાને શોધવા માટે કવાયત શરૂ કરી હતી અને રાજકોટમાં રહેતા રજાક નામના શખ્સે બંને સગીરાનું અપહરણ કર્યું હોવાની ફરિયાદ હતી જેથી મોરબી તાલુકા પોલીસ મથક ખાતે નોંધાયેલ બે સગીરાઓના અપરણના ગુનામાં સંડોવાયેલા આરોપી રજાક ઈશાભાઈ મુસાણી જાતે મિંયાણા (૧૯) હાલ રહે. વછરાજનગર રણુજા મંદિરની પાસે કોઠારીયા મેઇન રોડ રાજકોટ મૂળ રહે. રેલ્વે ફાટક પાસે માળિયા મિંયાણા જિલ્લો મોરબી વાળાની તા.૧૭ ના રોજ સાંજના આઠેક વાગ્યાના અરસામાં મોરબી તાલુકા પીઆઇ કે.એ. વાળા દ્વારા ધરપકડ કરવામાં આવી છે






Latest News