હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના અગરિયાઓએ ધારાસભ્યોને સાથે રાખીને મુખ્યમંત્રી-મંત્રીની કરી રજૂઆત


SHARE







મોરબી જિલ્લાના અગરિયાઓએ ધારાસભ્યોને સાથે રાખીને મુખ્યમંત્રી-મંત્રીની કરી રજૂઆત

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં મીઠાની ખેતી કરીને અગરીયાઓ દ્વારા તેના પરિવારનું ગુજરાન  ચલાવવામાં આવે છે ત્યારે તેની રોજીરોટી છીનવાઇ તેવી શ્કાયતા છે જેથી કરીને સુરેન્દ્રનગર, પાટણ, મોરબી અને કચ્છ જિલ્લાના અગરિયાઓએ ધારાસભ્યોને સાથે રાખીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શ્રમ મંત્રી મૂળુભાઈ બેરાને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે અગરિયા હિત રક્ષક સંઘના આગેવાનોએ જણાવ્યુ હતું કે, સેટલમેન્ટ પ્રક્રિયામાં રહેલી ખામીના કારણે ૫૦ વર્ષ બાદ પણ મીઠું પકવતા અગરિયાઓને રણમાં જઈને ૮ માસ માટે મીઠું પકવી આજીવિકા મેળવવાના અધિકારો સુનિશ્ચિત થયા નથી. તેથી ના છુકટેક અગરિયાઓને ગેરકાયદેસરના દુષણનો ભોગ બનવું પડી રહ્યું છે. હાલમાં માળિયા, હળવદ, ધ્રાંગધ્રા, સાંતલપુર, અને પાટડી તાલુકાના ૬૦ જેટલા અગરિયાઓએ તેઓના ધારાસભ્ય પી.કે. પરમાર, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને લવિંગજીભાઈને સાથે રાખીને રણમાં જઈને મીઠું પકવવાના અધિકારને કાયમી માન્યતા મળે તે માટે રજુઆત કરેલ છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હકારાત્મક નિર્ણય લેવા ખાતરી આપેલ છે






Latest News