વાંકાનેરના ઢુવા ગામે ઘર આંગણામાં ઝેરી જનાવર કરડી જતાં મહિલાનું મોત
SHARE
વાંકાનેરના ઢુવા ગામે ઘર આંગણામાં ઝેરી જનાવર કરડી જતાં મહિલાનું મોત
વાંકાનેર તાલુકાના જુના ઢુવા ગામે દેવીપુજકવાસમાં ઘર પાસે ઉભેલ મહિલાને કોઈ ઝેરી જનાવર કરડી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલે લઇ ગયા હતા જોકે ત્યાં ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા ગામે દેવીપુજકવાસમાં રહેતા મૂળ ધાંગધ્રા તાલુકાના રાજસીતાપુરના રહેવાસી ગીતાબેન વલ્લભભાઈ મુંદડિયા (૩૦) તેના ઘર પાસે આંગણામાં ઊભા હતા ત્યારે કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે ઓટો રીક્ષામાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના હકાભાઇ ચૌહાણ ચલાવી રહ્યા છે
વૃદ્ધનું મોત
મોરબીના વિસીપરા વિસ્તારમાં આવેલ રોહીદાસપરા શેરી નં-૧ માં રહેતા રાઠોડ મનજીભાઈ સોમાભાઈ (૫૬) ને કેન્સરની બીમારી હતી અને કેન્સરના લીધે તેનું મૃત્યુ નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી