મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા ગામે ઘર આંગણામાં ઝેરી જનાવર કરડી જતાં મહિલાનું મોત


SHARE









વાંકાનેરના ઢુવા ગામે ઘર આંગણામાં ઝેરી જનાવર કરડી જતાં મહિલાનું મોત

વાંકાનેર તાલુકાના જુના ઢુવા ગામે દેવીપુજકવાસમાં ઘર પાસે ઉભેલ મહિલાને કોઈ ઝેરી જનાવર કરડી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલે લઇ ગયા હતા જોકે ત્યાં ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા ગામે દેવીપુજકવાસમાં રહેતા મૂળ ધાંગધ્રા તાલુકાના રાજસીતાપુરના રહેવાસી ગીતાબેન વલ્લભભાઈ મુંદડિયા (૩૦) તેના ઘર પાસે આંગણામાં ઊભા હતા ત્યારે કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે ઓટો રીક્ષામાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના હકાભાઇ ચૌહાણ ચલાવી રહ્યા છે

વૃદ્ધનું મોત

મોરબીના વિસીપરા વિસ્તારમાં આવેલ રોહીદાસપરા શેરી નં-૧ માં રહેતા રાઠોડ મનજીભાઈ સોમાભાઈ (૫૬) ને કેન્સરની બીમારી હતી અને કેન્સરના લીધે તેનું મૃત્યુ નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News