મોરબીના માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સારવારમાં લવાયેલ સગીરા પ્રેગ્નેટ હોવાનું ખુલ્યું..!
વાંકાનેરમાં બીમારીથી કંટાળીને વૃદ્ધે અંતિમ પગલું ભર્યું
SHARE
વાંકાનેરમાં બીમારીથી કંટાળીને વૃદ્ધે અંતિમ પગલું ભર્યું
વાંકાનેરના પ્રતાપ રોડ ઉપર એક્સિસ બેન્ક વાળી શેરીની સામે રહેતા વૃદ્ધને છેલ્લા ઘણા સમયથી પગનો ગોળો ભાંગી ગયો હતો અને પેશાબની બીમારી હતી જેથી કરીને બીમારીથી કંટાળીને પોતે પોતાના ઘરની અંદર પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના પ્રતાપ રોડ ઉપર એક્સિસ બેન્કની સામેની શેરીમાં રહેતા દિલીપકુમાર મણીલાલ જોબનપુત્રા જાતે લોહાણા (૭૬) એ પોતે પોતાના ઘરની અંદર પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને અમિતભાઈ અશોકભાઈ જોબનપુત્રા (૪૩) રહે. પ્રતાપ રોડ વાકાનેર વાળા સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ છેલ્લા બેથી અઢી વર્ષથી દિલીપકુમારને પગનો ગોળો ભાંગી ગયો હતો અને પેશાબની બીમારી હતી જેથી બીમારીથી કંટાળીને પોતે પોતાની જાતે પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે જે અંગેની વાંકાનેર સિટી પોલીસ દ્વારા નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.