રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બીમારીથી કંટાળીને વૃદ્ધે અંતિમ પગલું ભર્યું


SHARE









વાંકાનેરમાં બીમારીથી કંટાળીને વૃદ્ધે અંતિમ પગલું ભર્યું

વાંકાનેરના પ્રતાપ રોડ ઉપર એક્સિસ બેન્ક વાળી શેરીની સામે રહેતા વૃદ્ધને છેલ્લા ઘણા સમયથી પગનો ગોળો ભાંગી ગયો હતો અને પેશાબની બીમારી હતી જેથી કરીને બીમારીથી કંટાળીને પોતે પોતાના ઘરની અંદર પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે. 

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના પ્રતાપ રોડ ઉપર એક્સિસ બેન્કની સામેની શેરીમાં રહેતા દિલીપકુમાર મણીલાલ જોબનપુત્રા જાતે લોહાણા (૭૬) એ પોતે પોતાના ઘરની અંદર પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને અમિતભાઈ અશોકભાઈ જોબનપુત્રા (૪૩) રહે. પ્રતાપ રોડ વાકાનેર વાળા સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ છેલ્લા બેથી અઢી વર્ષથી દિલીપકુમારને પગનો ગોળો ભાંગી ગયો હતો અને પેશાબની બીમારી હતી જેથી બીમારીથી કંટાળીને પોતે પોતાની જાતે પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે જે અંગેની વાંકાનેર સિટી પોલીસ દ્વારા નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






Latest News