રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સારવારમાં લવાયેલ સગીરા પ્રેગ્નેટ હોવાનું ખુલ્યું..!


SHARE









મોરબીના માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સારવારમાં લવાયેલ સગીરા પ્રેગ્નેટ હોવાનું ખુલ્યું..!

મોરબી જિલ્લાના માળિયા મીંયાણા તાલુકામાં આવેલા એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીરાને પેટમાં દુખાવો ઉપડતા સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં લાવવામાં આવી હતી અને અહીં તેનું તબીબી પરીક્ષણ કરવામાં આવતા સગીરા પ્રેગ્નેટ હોવાનું અને તેણીને ચાર માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું.જેથી આ બનાવ સંદર્ભે સારવાર બાદ હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. 

વધુમાં મળતી માહિતી પ્રમાણે માળિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક પરિવારની સોળ વર્ષની સગીરાને પેટમાં દુખાવો ઉપડ્યો હતો જેથી કરીને તેણીને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી અહીંના ગાયનેક વિભાગમાં તે સગીરાનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યા બાદ તેણી સગર્ભા હોવાનું અને ચાર માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું.હાલ આ સગીરા અપરણીત હોય અને તે ગર્ભવતી હોવાનું જણાતા હોસ્પિટલ દ્વારા બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે.જેથી કરીને પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીના નગર દરવાજા વિસ્તારમાં આવેલ ફૂલગલી મોચી શેરી વિસ્તારમાં રહેતા હસીનાબેન ગફારભાઈ માંડલીયા નામના ૬૬ વર્ષના વૃદ્ધાને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા સારવાર માટે હોસ્પિટલેલાવવામાં આવ્યા હતા.તેઓ તેમના સગાની સાથે હોસ્પિટલ જવા માટે નીકળ્યા હતા ત્યારે મોરબીના નવલખી હાઇવે ઉપર પીપળીયા ચોકડીથી આમરણ જતા હાઇવેના રસ્તે તેઓની કાર અકસ્માતે પલ્ટી મારી ગઈ હોવાથી તેઓને અબ્દુલભાઈ માંડલીયા સારવાર માટે લાવ્યા હતા અને આ બનાવ અંગે તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી હતી.

આધેડ સારવારમાં

મોરબી તાલુકાના વાઘપર ગામે રહેતા વિનોદભાઈ કાળુભાઈ મકવાણા (૫૦) ને અમરનગર ગામ પાસે હાઇવે ઉપર વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા ૧૦૮ દ્રારા તેમને સારવાર માટે સિવિલે લઈ જવામાં આવ્યા હતા.હોસ્પિટલ ખાતે તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના ફિરોઝભાઈ સુમરાએ આ બાબતે વધુ તપાસ કરી હતી.જ્યારે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ચાર માળિયા વિસ્તારમાં ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલા રતિલાલ ત્રિકમભાઈ મારવાડી નામના ૪૦ વર્ષના યુવાનને પણ ઇજાઓ પહોંચી હોય તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જોકે પોલીસ તેનું નિવેદન લેવા પહોંચે તે પહેલા જ ઇજાગ્રસ્ત યુવાન હોસ્પિટલ ખાતેથી ચાલ્યો ગયો હતો..!






Latest News