મોરબીમાં ઉમિયા માનવ મંદિરમાં ૫૧,૦૦૦ નું દાન અર્પણ કરતા ચંદુલાલ સિતાપરા
SHARE
મોરબીમાં ઉમિયા માનવ મંદિરમાં ૫૧,૦૦૦ નું દાન અર્પણ કરતા ચંદુલાલ સિતાપરા
મોરબી નજીક ભીમનાથ મહાદેવ લજાઈના સાનિધ્યમાં પાટીદાર પરિવારના જરૂરિયાતમંદ જેમને દિકરા નથી એવાવ ૨૦૦ નિરાધાર વડીલોને આશરો આપવા માટે ફાઈવ સ્ટાર હોટેલ જેવું ઉમિયા માનવ મંદિરનું નિર્માણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં માનવ મંદિરમાં દરિદ્ર નારાયણોને પ્રવેશ કરાવી ભવ્ય અને દિવ્ય ઉદ્ઘાટન થવાનું છે,ત્યારે અનેક દતાઓ આ માનવ મંદિરના દરિદ્ર નારાયણોના નિભાવ અને સંસ્થાના વિકાસ માટે દાનનો અવિરત પ્રવાહ વહેવડાવી રહ્યા છે ત્યારે વધુ એક દાતા ટિકર રણ નિવાસી સિતાપરા ચંદુલાલ જીવાભાઈએ પોતાના રળેલા રૂપિયા ૫૧,૦૦૦ ની ધનરાશી અર્પણ કરી છે ત્યારે દાતાની દિલેરીને પોપટભાઈ કગથરા પ્રમુખ ઉમિયા માનવ મંદિર તેમજ હરજીવનભાઈ બાવરવાએ માતાજીનો ખેસ પહેરાવી બુક અર્પણ કરી અભિવાદન કર્યું હતું