મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના નગરજનોને બાકી વેરો પાલિકામાં જમા કરાવવા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની અપીલ


SHARE









મોરબીના નગરજનોને બાકી વેરો પાલિકામાં જમા કરાવવા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની અપીલ

મોરબી પાલિકાની તિજોરી હાલમાં તળિયા જાટ્ક થઈ ગયેલ છે ત્યારે કર્મચારીઓના પગાર માટે પણ પૈસા નહીં રહ્યા જેથી કરીને મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયામિલકત ધારકોને તેના ટેક્સના બાકી રૂપિયા પાલિકામાં ભરવા માટે અપીલ કરેલ છે અને આગામી ૧૦ માહિનામાં કરોડો રૂપિયાના કામ મોરબીના જુદાજુદા વિસ્તારમાં કરવામાં આવશે તેવી ખાતરી આપેલ છે

મોરબી પાલિકામાં હાલમાં જુદી જુદી સમસ્યાઓ જુદાજુદા વિસ્તારમાંથી આવે છે ત્યારે લોકોની ગટર, કચરા કલેક્શન, પાણી, લાઈટની સમસ્યાના ઉકેલ માટે પાલિકાના જવાબદાર વિભાગના ચાર કર્મચારીઓના મોબાઈલ નંબરોને પાલિકાના વહીવટદાર દ્વારા હેલ્પ લાઇન નંબર તરીકે જાહેર કરવામાં આવેલ છે અને પાલિકામાં મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, વહીવટીદાર એન.કે. મુછારે અને ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્યની હાજરીમાં સંકલનની બેઠક મળી હતી જેમાં ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્યએ કહ્યું હતું કે, ગટરમાં અમુક લોકો કચરો નાખતા હોય છે જેના લીધે ગટરના પ્રશ્ન જુદાજુદા વિસ્તારમાં સામે આવે છે તેવું જણાવ્યુ હતું તો ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી મોરબી પાલિકામાં સ્વભંડોળ છે જ નહીં અને હાલમાં ૭ લાખના ભંડોળ સામે ૬૦ લાખનો પગાર આપવાનો છે તેમજ લાઈટ-પાણીના બિલ આપવાના છે જેથી મિલકત ધારકો દ્વારા તેના બાકી વેરા ભરવામાં આવે તે અનિવાર્ય છે વધુમાં તેમણે કહ્યું હતું કે આગામી ૧૦ માં માહિનામાં સરકારની જુદીજુદી ગ્રાંટમાંથી કરોડો રૂપિયાના કામ મોરબીના જુદાજુદા વિસ્તારમાં કરવામાં આવશે તેના માટેના પ્લાન એસટીમેટમ પણ બનાવવામાં આવી રહ્યા છે 






Latest News