મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના પંચાસિયામાં નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવામાં ધારાસભ્યની આરોગ્યમંત્રીને ભલામણ


SHARE













વાંકાનેરના પંચાસિયામાં નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવામાં ધારાસભ્યની આરોગ્યમંત્રીને ભલામણ

વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે હાલની વસ્તીને ધ્યાનમાં રાખીને નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવામાં આવે તે જરૂરી છે જેથી કરીને વાંકાનેરના ધારાસભ્ય દ્વારા આરોગ્ય મંત્રીને આ બાબતે લેખિત ભલામણ કરવામાં આવી છે

મોરબી જિલ્લા પંચાયતના સભ્ય જાહીરઅબ્બાસ યુસુફભાઈ સેરશિયા દ્વારા પંચાસીયા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવા માટે થઈને હાલમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને રજૂઆત કરવામાં આવી હતી જેથી વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલને લેખિત ભલામણ કરતો પત્ર લખેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે વર્ષ ૨૦૧૧ ની વસ્તીને ધ્યાનમાં રાખીને અગાઉ જ્યારે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે પંચાસિયા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યું ન હતું જોકે, હાલની વસ્તીને ધ્યાનમાં રાખીને પંચાસીયા ગામ અને આસપાસના વિસ્તારમાં રહેતા લોકોના આરોગ્યની સુખાકારી માટે પંચાસીયા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવામાં આવે તે પ્રકારની ભલામણ હાલમાં વાંકાનેરના ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલ છે ત્યારે વધુમાં માહિતી આપતા મોરબી જિલ્લા પંચાયતના સભ્ય જાહીરઅબ્બાસ યુસુફભાઈ સેરશિયાએ જણાવ્યું હતું કે, પંચાસીયા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ થઈ જાય તો પંચાસીયા ગામ અને તેની આસપાસના વિસ્તારના લોકોને આરોગ્યની સુખાકારી માટે વાંકાનેર સુધીના ધક્કા થશે નહીં જેથી વહેલી તકે આરોગ્ય કેન્દ્ર મંજુર થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી






Latest News