મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેરના પંચાસિયામાં નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવામાં ધારાસભ્યની આરોગ્યમંત્રીને ભલામણ


SHARE









વાંકાનેરના પંચાસિયામાં નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવામાં ધારાસભ્યની આરોગ્યમંત્રીને ભલામણ

વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે હાલની વસ્તીને ધ્યાનમાં રાખીને નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવામાં આવે તે જરૂરી છે જેથી કરીને વાંકાનેરના ધારાસભ્ય દ્વારા આરોગ્ય મંત્રીને આ બાબતે લેખિત ભલામણ કરવામાં આવી છે

મોરબી જિલ્લા પંચાયતના સભ્ય જાહીરઅબ્બાસ યુસુફભાઈ સેરશિયા દ્વારા પંચાસીયા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવા માટે થઈને હાલમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને રજૂઆત કરવામાં આવી હતી જેથી વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલને લેખિત ભલામણ કરતો પત્ર લખેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે વર્ષ ૨૦૧૧ ની વસ્તીને ધ્યાનમાં રાખીને અગાઉ જ્યારે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે પંચાસિયા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યું ન હતું જોકે, હાલની વસ્તીને ધ્યાનમાં રાખીને પંચાસીયા ગામ અને આસપાસના વિસ્તારમાં રહેતા લોકોના આરોગ્યની સુખાકારી માટે પંચાસીયા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવામાં આવે તે પ્રકારની ભલામણ હાલમાં વાંકાનેરના ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલ છે ત્યારે વધુમાં માહિતી આપતા મોરબી જિલ્લા પંચાયતના સભ્ય જાહીરઅબ્બાસ યુસુફભાઈ સેરશિયાએ જણાવ્યું હતું કે, પંચાસીયા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ થઈ જાય તો પંચાસીયા ગામ અને તેની આસપાસના વિસ્તારના લોકોને આરોગ્યની સુખાકારી માટે વાંકાનેર સુધીના ધક્કા થશે નહીં જેથી વહેલી તકે આરોગ્ય કેન્દ્ર મંજુર થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી






Latest News