મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના પંચાસિયામાં નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવામાં ધારાસભ્યની આરોગ્યમંત્રીને ભલામણ


SHARE







વાંકાનેરના પંચાસિયામાં નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવામાં ધારાસભ્યની આરોગ્યમંત્રીને ભલામણ

વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે હાલની વસ્તીને ધ્યાનમાં રાખીને નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવામાં આવે તે જરૂરી છે જેથી કરીને વાંકાનેરના ધારાસભ્ય દ્વારા આરોગ્ય મંત્રીને આ બાબતે લેખિત ભલામણ કરવામાં આવી છે

મોરબી જિલ્લા પંચાયતના સભ્ય જાહીરઅબ્બાસ યુસુફભાઈ સેરશિયા દ્વારા પંચાસીયા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવા માટે થઈને હાલમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને રજૂઆત કરવામાં આવી હતી જેથી વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલને લેખિત ભલામણ કરતો પત્ર લખેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે વર્ષ ૨૦૧૧ ની વસ્તીને ધ્યાનમાં રાખીને અગાઉ જ્યારે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે પંચાસિયા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યું ન હતું જોકે, હાલની વસ્તીને ધ્યાનમાં રાખીને પંચાસીયા ગામ અને આસપાસના વિસ્તારમાં રહેતા લોકોના આરોગ્યની સુખાકારી માટે પંચાસીયા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવામાં આવે તે પ્રકારની ભલામણ હાલમાં વાંકાનેરના ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલ છે ત્યારે વધુમાં માહિતી આપતા મોરબી જિલ્લા પંચાયતના સભ્ય જાહીરઅબ્બાસ યુસુફભાઈ સેરશિયાએ જણાવ્યું હતું કે, પંચાસીયા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ થઈ જાય તો પંચાસીયા ગામ અને તેની આસપાસના વિસ્તારના લોકોને આરોગ્યની સુખાકારી માટે વાંકાનેર સુધીના ધક્કા થશે નહીં જેથી વહેલી તકે આરોગ્ય કેન્દ્ર મંજુર થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી






Latest News