મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

સરકારની જ્ઞાન સહાયક યોજના રદ કરીને કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ: મોરબીમાં ધારાસભ્યને આવેદનપત્ર આપ્યું


SHARE









સરકારની જ્ઞાન સહાયક યોજના રદ કરીને કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ: મોરબીમાં ધારાસભ્યને આવેદનપત્ર આપ્યું

મોરબીના ટેટ અને ટાટ પાસ ઉમેદવારની કાયમી શિક્ષક તરીખે ભરતી કરવાના બદલે જ્ઞાન સહાયક યોજના અમલમાં મૂકી છે જેથી કરીને હાલમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવાર દ્વારા મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને લેખિતમાં રજૂઆત કરીને ટેટ અને ટાટ પાસ ઉમેદવારની કાયમી શિક્ષક તરીકે ભરતી કરવામાં આવે તેવી માંગ કરી છે

હાલમાં મોરબીના ટેટ અને ટાટ પાસ ઉમેદવારએ જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, રાજ્યમાં શિક્ષણની પરિસ્થિતિ કથળી રહી છે ત્યારે ગુજરાતના દરેક વિદ્યાર્થીઓને ગુણવતાયુક્ત અને વિશ્વસ્તરીય શિક્ષણ મેળવે તે હેતુથી અને વિદ્યાર્થીઓના ભવિષ્યના પૂર્વ ઘડતર માટે રાજ્ય સરકાર શિક્ષકોની કાયમી ભરતી કરવી ખૂબ જ જરૂરી છે. તાજેતરમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક યોજના બહાર પાડવામાં આવી છે. જે અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવામાં આવશે તેવો ગેર વ્યાજબી નિર્ણય લેવામાં આવ્યો છે. જેની સીધી અસર ગુજરાતના વિદ્યાર્થીઓના શિક્ષણ અને રાજ્યના વર્તમાન ટેટ અને ટાટ પાસ બેરોજગાર ઉમેદવાર પર થશે. જે વિદ્યાર્થીઓ ઉમેદવારોના બિલકુલ હિતમાં નથી. જો જ્ઞાન સહાયક યોજના અમલમાં આવશે તો કેટલાય વર્ષોથી રાત-દિવસ મહેનત કરીને ટેટ અને ટાટ જેવી દ્વિસ્તરીય પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોનું સરકારી શિક્ષક બનવાનું સપનું રોળાઈ જશે અને તેમનું ભાવિ અંધકારમય બની જશે. અને ગુજરાતના ભવિષ્ય એવા વિદ્યાર્થીઓના શિક્ષણના હિતમાં અને હજારો ટેટ અને ટાટ પાસ બેરોજગાર ઉમેદવારોને કાયમી સરકારી શિક્ષકની રોજગારી મળી રહે તે માટે જ્ઞાન સહાયક કરાર આધારિત ભરતીની જગ્યાએ વહેલામાં વહેલી તકે કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તે અનિવાર્ય છે અને મોરબીની જેમ સમગ્ર રાજયમાં ધારાસભ્યોને ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ આવેદનપત્ર આપેલ છે






Latest News