મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક મોરબી: ફોર્ટિફિકેશન અભિગમથી કુપોષણ અને એનિમિયા મુક્ત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા સરકાર પ્રયત્નશીલ
Breaking news
Morbi Today

મોરબીના રામકૃષ્ણનગર સાથે પાલિકાનું ઓરમાયું વર્તન: મહેશભાઈ રાજ્યગુરુ


SHARE















મોરબીના રામકૃષ્ણનગર સાથે પાલિકાનું ઓરમાયું વર્તન: મહેશભાઈ રાજ્યગુરુ

મોરબી પાલિકાના વોર્ડ નં-૩ માં આવેલા રામકૃષ્ણનગર પ્રત્યે પાલિકા દ્વારા ઓરમાયું વર્તન રાખવામા આવે છે તેવો આક્ષેપ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી દ્વારા કરવામાં આવ્યો  છે

હાલમાં મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુએ જણાવ્યુ છે કે, મોરબી પાલિકામાં હાલમાં વહીવટદારનું શાસન છે ત્યારે પણ તે લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ છે. અને સ્થાનિક લોકો વારંવાર રજૂઆત કરે છે તો પણ કામ કરવામાં આવતું નથી મોરબીના વોર્ડ નં-૩ માં આવેલા રામકૃષ્ણનગરમાં છેલ્લા ઘણા સમયથી ભુગર્ભ ગટરની સમસ્યા છે. અને ગટરની કુંડી ખુલ્લી છે તો પણ તેને રિપેર કરવામાં આવી રહી નથી અને આ ગટરમાં કચરા જવાથી લોકોના ઘરમાં ગટરના ગંદા પાણી ભરાઈ જાય છે અને તે વિસ્તારમાં રોગચાળાનો ભય રહે છે આટલું જ નહીં નાના બાળકો કુંડીમાં પડી જાય અને કોઈ બનાવ બને તેવી પણ શક્યતા છે તો પણ પાલિકાના હાલના વહીવટદાર અને ચીફ ઓફિસર દ્વારા લોકોની સુખાકારીને ધ્યાને રાખીને કોઈ કામ કરવામાં આવતું નથી તે હક્કિત છે






Latest News