મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબીના તળાવીયા શનાળા નજીક કારખાનામાં આગ મોરબી પાલિકાના 3 માજી પ્રમુખ, જિલ્લા પંચાયતના 1 માજી ચેરમેન, વાંકાનેર પાલિકાના 1 માજી પ્રમુખ સહિત ભાજપ પક્ષમાંથી કુલ 24 આગેવાનો 6 વર્ષ માટે સસ્પેન્ડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના રામકૃષ્ણનગર સાથે પાલિકાનું ઓરમાયું વર્તન: મહેશભાઈ રાજ્યગુરુ


SHARE













મોરબીના રામકૃષ્ણનગર સાથે પાલિકાનું ઓરમાયું વર્તન: મહેશભાઈ રાજ્યગુરુ

મોરબી પાલિકાના વોર્ડ નં-૩ માં આવેલા રામકૃષ્ણનગર પ્રત્યે પાલિકા દ્વારા ઓરમાયું વર્તન રાખવામા આવે છે તેવો આક્ષેપ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી દ્વારા કરવામાં આવ્યો  છે

હાલમાં મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુએ જણાવ્યુ છે કે, મોરબી પાલિકામાં હાલમાં વહીવટદારનું શાસન છે ત્યારે પણ તે લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ છે. અને સ્થાનિક લોકો વારંવાર રજૂઆત કરે છે તો પણ કામ કરવામાં આવતું નથી મોરબીના વોર્ડ નં-૩ માં આવેલા રામકૃષ્ણનગરમાં છેલ્લા ઘણા સમયથી ભુગર્ભ ગટરની સમસ્યા છે. અને ગટરની કુંડી ખુલ્લી છે તો પણ તેને રિપેર કરવામાં આવી રહી નથી અને આ ગટરમાં કચરા જવાથી લોકોના ઘરમાં ગટરના ગંદા પાણી ભરાઈ જાય છે અને તે વિસ્તારમાં રોગચાળાનો ભય રહે છે આટલું જ નહીં નાના બાળકો કુંડીમાં પડી જાય અને કોઈ બનાવ બને તેવી પણ શક્યતા છે તો પણ પાલિકાના હાલના વહીવટદાર અને ચીફ ઓફિસર દ્વારા લોકોની સુખાકારીને ધ્યાને રાખીને કોઈ કામ કરવામાં આવતું નથી તે હક્કિત છે






Latest News