વાંકાનેરના કલાવડી ગામે વાડીના રસ્તા ઉપરથી પથ્થર ઉપાડવા બાબતે વૃદ્ધને તેના સગા ભાઈ સહિત 3 લોકોને પથ્થરના છૂટા ઘા માર્યા હળવદના પ્રતાપગઢ ગામનો બનાવ: છૂટાછેડા થઈ ગયા બાદ મહિલાને તેડી જવા આવેલ પૂર્વ પતિએ કર્યો છરી વડે હુમલો, ઇજાગ્રસ્ત પિતા-ભાભી સારવારમાં ટંકારાના નસીતપર ગામે વાડી શ્રમિક યુવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં વર્ષ પહેલા જેને પ્લોટ સનદથી આપ્યા તેવા ૩૯ આસામીઓને ઘર ખાલી કરવા પોલીસે આઈ નોટીસ !


SHARE









મોરબીમાં વર્ષ પહેલા જેને પ્લોટ સનદથી આપ્યા તેવા ૩૯ આસામીઓને ઘર ખાલી કરવા પોલીસે આઈ નોટીસ !

મોરબીમાં સોઓરડી અંદર આવેલ રામદેવપીર મંદિરની બાજુમાં છેલ્લા ૬૦ વર્ષથી રહેતા ૩૯ સામાન્ય પરિવારોને હાલમાં ઘર ખાલી કરવાની અચાનક નોટિસ આપવામાં આવી છે જેથી કરીને સ્થાનિક લોકોએ ભાજપના ધારાસભ્ય અને પાલિકાના માજી સભ્યોને સાથે રાખીને કલેક્ટરને આ મુદે રજૂઆત કરી હતી અને જરૂરી પુરાવાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા

મોરબીમાં સોઓરડી પાસે આવેલ રામદેવપીર મંદિર પાસે આજ કાલથી નહીં પરંતુ છેલ્લા ૬૦ વર્ષથી રહેલા ૩૯ પરિવારોને મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા મકાનો ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. જેમાં પોલીસે જણાવ્યું છે કે, આ મકાનો અને પ્લોટ ગેરકાયદે છે અને લેન્ડગ્રેબીગની ફરિયાદ થઈ હોવાનું કહીને મકાનો ખાલી કરવા કહેવામા આવ્યું છે જેથી કરીને જે પરિવારોને નોટિસ આપવામાં આવી છે જે પરિવારના લોકોએ ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, અમે પાલિકાના માજી સભ્ય ગિરિરાજસિંહ ઝાલા, મનસુખભાઇ બરાસરા, ગૌતમભાઈ સોલંકી, સુરેશભાઇ સીરોહિયા તેમજ ભાજપના આગેવાન જયોતિસિંહ જાડેજા સહિતના અગ્રણીઓને સાથે રાખી અધિક કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે અને તે જમીનને લગતા જરૂરી આધાર પુરાવાઓને પણ સ્થાનિક લોકો દ્વારા અધિકારી સમક્ષ મૂકવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, વર્ષ ૧૯૬૩ અને ૧૯૭૩ માં સનદથી પ્લોટ આપવામાં આવ્યા છે જેમાં કુલ 39 પ્લોટમાંથી ૨૪ માં મકાન બનેલ છે અને ૧૫ પ્લોટ હજુ પણ ખુલ્લા જ છે ત્યારે સ્થાનિક લોકોને ન્યાય કરવાની માંગ કરવામાં આવી છે






Latest News