મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબીના તળાવીયા શનાળા નજીક કારખાનામાં આગ મોરબી પાલિકાના 3 માજી પ્રમુખ, જિલ્લા પંચાયતના 1 માજી ચેરમેન, વાંકાનેર પાલિકાના 1 માજી પ્રમુખ સહિત ભાજપ પક્ષમાંથી કુલ 24 આગેવાનો 6 વર્ષ માટે સસ્પેન્ડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં વર્ષ પહેલા જેને પ્લોટ સનદથી આપ્યા તેવા ૩૯ આસામીઓને ઘર ખાલી કરવા પોલીસે આઈ નોટીસ !


SHARE













મોરબીમાં વર્ષ પહેલા જેને પ્લોટ સનદથી આપ્યા તેવા ૩૯ આસામીઓને ઘર ખાલી કરવા પોલીસે આઈ નોટીસ !

મોરબીમાં સોઓરડી અંદર આવેલ રામદેવપીર મંદિરની બાજુમાં છેલ્લા ૬૦ વર્ષથી રહેતા ૩૯ સામાન્ય પરિવારોને હાલમાં ઘર ખાલી કરવાની અચાનક નોટિસ આપવામાં આવી છે જેથી કરીને સ્થાનિક લોકોએ ભાજપના ધારાસભ્ય અને પાલિકાના માજી સભ્યોને સાથે રાખીને કલેક્ટરને આ મુદે રજૂઆત કરી હતી અને જરૂરી પુરાવાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા

મોરબીમાં સોઓરડી પાસે આવેલ રામદેવપીર મંદિર પાસે આજ કાલથી નહીં પરંતુ છેલ્લા ૬૦ વર્ષથી રહેલા ૩૯ પરિવારોને મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા મકાનો ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. જેમાં પોલીસે જણાવ્યું છે કે, આ મકાનો અને પ્લોટ ગેરકાયદે છે અને લેન્ડગ્રેબીગની ફરિયાદ થઈ હોવાનું કહીને મકાનો ખાલી કરવા કહેવામા આવ્યું છે જેથી કરીને જે પરિવારોને નોટિસ આપવામાં આવી છે જે પરિવારના લોકોએ ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, અમે પાલિકાના માજી સભ્ય ગિરિરાજસિંહ ઝાલા, મનસુખભાઇ બરાસરા, ગૌતમભાઈ સોલંકી, સુરેશભાઇ સીરોહિયા તેમજ ભાજપના આગેવાન જયોતિસિંહ જાડેજા સહિતના અગ્રણીઓને સાથે રાખી અધિક કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે અને તે જમીનને લગતા જરૂરી આધાર પુરાવાઓને પણ સ્થાનિક લોકો દ્વારા અધિકારી સમક્ષ મૂકવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, વર્ષ ૧૯૬૩ અને ૧૯૭૩ માં સનદથી પ્લોટ આપવામાં આવ્યા છે જેમાં કુલ 39 પ્લોટમાંથી ૨૪ માં મકાન બનેલ છે અને ૧૫ પ્લોટ હજુ પણ ખુલ્લા જ છે ત્યારે સ્થાનિક લોકોને ન્યાય કરવાની માંગ કરવામાં આવી છે






Latest News