મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન વાંકાનેરના વઘાસિયા ટોલનાકા ઉપર સ્ટાફ સાથે ઝઘડો કરીને ટોલ ભર્યા વગર વાહન કઢાવીને ધમકી આપનાર બે શખ્સો સામે ફરિયાદ ટંકારાના વીરપર પાસે અકસ્માત: ક્રેટા ગાડીના ચાલકે રિક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત મોરબીની માળિયા ફાટક ચોકડીએ ટ્રક કન્ટેનરના ચાલકે એકટીવાને કચડી નાખ્યું: ઇજા પામેલ મહિલા સારવારમાં માળીયા (મી) નજીક રોડ ક્રોસ કરતાં માતા-પુત્રને આઇસરના ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત: દીકરાનો પગ કપવો પડ્યો મોરબીના વિદ્યુતનગરમાં મહિલાએ અકળ કારણોસર જીવન ટૂંકાવ્યું મોરબીની અવની ચોકડીએ એપાર્ટમેન્ટની અગાસીએ કપડાં સુકવતા સમયે નીચે પટકાતાં વૃદ્ધાનું મોત
Breaking news
Morbi Today

હળવદની સરા ચોકડી પાસે ભાજપ કાર્યાલય નીચેથી બાઈકની ચોરી


SHARE











હળવદની સરા ચોકડી પાસે ભાજપ કાર્યાલય નીચેથી બાઈકની ચોરી

હળવદની સરા ચોકડી પાસે વેજનાથ મંદિરની સામેના ભાગમાં આવેલ ભાજપના કાર્યાલય નીચે પાર્ક કરવામાં આવેલ બાઇકની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાનને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત મુજબ હળવદના સરા રોડ ઉપર આઇટીઆઇ સામેના ભાગમાં ગિરનારીનગરમાં રહેતા રામજીભાઈ ચતુરભાઈ દલવાડીએ પોતાનું બાઇક નંબર જીજે ૩૬ કે ૬૮૯૦ વેજનાથ મંદિરની સામેના ભાગમાં આવેલ ભાજપ કાર્યાલય નીચે પાર્ક કર્યું હતું જે બાઇકને કોઈ અજાણ્યા શખ્સે ચોરી કરી ગયેલ હોય ચાલીસ હજાર રૂપિયાની કિંમતના બાઇકની ચોરી કરવામાં આવેલ છે તે મુજબની રામજીભાઈ દલવાડીએ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીના બનાવનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

ટંકારા તાલુકાના નાના રામપર ગામે રહેતા દશરથબેન જોરૂભા ઝાલા નામના ૫૭ વર્ષીય આધેડ મહિલા મોરબીમાં શનાળા રોડ ઉપરથી બાઈકમાં જતા હતા ત્યારે બાઇકમાંથી નીચે પડી જતાં ઈજાગ્રસ્ત થયેલા દશરથબેનને અત્રેની મધુરમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના લીલાપર રોડ ઉપર ફિલ્ટર હાઉસ નજીક રહેતા રણજીત લાલજીભાઈ ગુંદરિયા નામના ૨૫ વર્ષના યુવાનને તેના ઘર નજીક ફિલ્ટર હાઉસ પાસે મારામારીના બનાવમાં ઇજા થતાં તેને સારવાર માટે સિવિલે લઇ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના માધાપર વિસ્તારમાં રહેતા વેલજીભાઈ મોહનભાઈ સારલા નામના ૬૮ વર્ષીય વૃદ્ધને તેમના ઘરની પાસે મારામારીના બનાવમાં ઇજા થતા વેલજીભાઈ સારલાને પણ સારવારમાં સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.






Latest News