મોરબીમાં કારગીલ વિજય દિવસ નિમિતે ભારત માતા પુજન-શહીદોને પુષ્પાંજલી અર્પણ
SHARE
મોરબીમાં કારગીલ વિજય દિવસ નિમિતે ભારત માતા પુજન-શહીદોને પુષ્પાંજલી અર્પણ
૨૬, જુલાઈ કારગીલ વિજય દિવસ નિમિતે સીમા જાગરણ મંચ મોરબી જિલ્લા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબી શહેરના શનાળા રોડે આવેલ નવા બસસ્ટેન્ડ પાસે ભારત માતા પુજન તથા શહીદોને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી ત્યારે સીમા જાગરણ મંચ મોરબી જિલ્લાના હોદેદારો સહિતના લોકો ત્યાં હાજર રહ્યા હતા અને ભારત માતાનું પુજન કરીને શહીદોને પુષ્પાંજલી અર્પણ કરી હતી