ટંકારાના હડમતીયા નજીકથી કોથળામાંથી અજાણી મહિલાની લાશ મળી: હત્યાની આશંકા, તપાસનો ધમધમાટ
દયાનંદ માજી સૈનિક પરીવાર ટંકારા દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી કરાઇ
SHARE
દયાનંદ માજી સૈનિક પરીવાર ટંકારા દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી કરાઇ
૨૬ જુલાઈના રોજ કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ટંકારા તાલુકાના શ્રી દયાનંદ માજી સૈનિક સંગઠન દ્વારા મિતાણા ગામે આર્ય પેલેસ હોટેલ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દેશની એકતા, અખંડિતતા, સમરસતા જેવા વિષય થકી પરિવાર, સામાજીક તથા રાષ્ટ્રિય મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી અને યુવાનોને દેઝદાઝ પ્રજ્વલિત કરવા જ્યોત ઝલાવી હતી આ કાર્યક્રમની અંતે ભારત માતા અને વંદે માતરમના ગગનભેદી નારા પાનાં લગાવ્યા હતા આ તકે મોરબી માર્કેટ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગિયા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ પ્રભુભાઈ કામરીયા, કારોબારી ચેરમેન અરવિંદભાઇ દુબરીયા, ટંકારા નાયબ મામલતદાર કે.ડી. બુશા, ટંકારા ભાજપ સંગઠનના પ્રમુખ કિરીટ અંદરપા, ઉપપ્રમુખ ગણેશભાઈ પટેલ, મહામંત્રી રૂપસિંહ ઝાલા, યુવાનેતા એડવોકેટ સંજય ભાગિયા, હસુભાઈ દુબરીયા સહિતના લોકો હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે માજી સૈનિક ગુર્પના પ્રમુખ ચેતનભાઈ પટેલ, ઉપપ્રમુખ ખોડાભાઈ ઝાપડા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી