મોરબી જીલ્લામાં સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની પુણ્યતિથિએ યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમા ૬૩૫ લોકોએ કર્યું રક્તદાન
SHARE
મોરબી જીલ્લામાં સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની પુણ્યતિથિએ યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમા ૬૩૫ લોકોએ કર્યું રક્તદાન
સહકારી પ્રવૃત્તિના માધ્યમથી ખેડુતો માટે અનેક યોજનાઓ બનાવી ખેડુતોના હામી બન્યા તેમજ કન્યા કેળવણી માટે અધતન સંકુલના નિર્માણ કર્યા સાથે અનેક સામાજિક સંસ્થાઓની સ્થાપના કરી અને રાજકિય ક્ષેત્રે પણ મજબુતાઇથી લોકોની સેવા કરનારા ખેડુત નેતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મોરબી માર્કેટીંગ યાર્ડમાં તેમજ મીતાણા ગામે આવેલ શાળામાં સર્વ જ્ઞાતિય અને સહકારી પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પના આયોજન કરવામાં આવ્યા હતા જેમાં મોરબી ખાતે સંસ્કાર બ્લડ બેંક અને પ્રભુનગર(મિતાણા) શ્રી બહુચર વિધાલય ખાતે મોરબી સિવિલ હોસ્પિટલ તેમજ રેડ ક્રોસ બ્લડ બેંક રાજકોટ દ્વારા બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીમાં રાજકોટ જીલ્લા બેંકના વાઇસ ચેરમેન તેમજ સહકારી આગેવાન મગનભાઈ વડાવિયા, જીલ્લા બેંકના સીઇઓ વી.એમ સખિયા, મેનેજર પી.એલ. બોડાએ કેમ્પને ખુલ્લો મુકયો હતો તેવી જ રીતે પ્રભુનગરની શાળામાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી માર્કેટીંગ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગિયાએ કેમ્પને ખુલ્લો મૂક્યો હતો આ તકે રકતદાતાઓને ભેટ અને સન્માનપત્ર પણ આપવામાં આવ્યા હતા. અને મોરબીમાં ૨૬૪ તેમજ પ્રભુનગર(મિતાણા)માં ૩૭૧ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા મગનભાઈ વડાવિયા, ભવાનભાઈ ભાગિયા, અરવિંદભાઈ દુબરીયા, કાનજીભાઈ ભાગિયા, ગણેશભાઈ નમેરા, મંગળજીભાઇ સુવાગિયા, બળવંતભાઈ કોટડીયા, અમુતલાલ વિડજા, તેમજ નરેન્દ્રભાઇ સંધાત, અનિલભાઈ વડાવિયા, ધનજીભાઈ કુંડારિયા, મયુરભાઈ દેવડા, અમરશીભાઇ દેત્રોજા, મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કેશુભાઈ રૈયાણી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા