માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા મોરબીના લખધીરપુર રોડે આવેલ કારખાનામાં મશીનના પટ્ટામાં ફસાઈ જતાં ઇજા પામેલા સગીરનું મોત મોરબીના વૃદ્ધની કડીયાણા નજીક આવેલ વાડીમાંથી 1 લાખના કોપર વાયરની ચોરી હળવદમાં જમીન લે-વેચના ભાગીદારને દલાલી આપી દીધી હોવા છતાં વધુ 5 લાખ માંગીને જાનથી મારી નાખવાની ધમકી ટંકારના પાલિકાની પહેલી ચૂંટણીમાં મતદારો ઘટતી પ્રાથમિક સુવિધાઓને ધ્યાને રાખીને કરશે મતદાન: ભાજપ-કોંગ્રેસ સહિતના ઉમેદવારોના જીતના દાવા મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબીના તળાવીયા શનાળા નજીક કારખાનામાં આગ
Breaking news
Morbi Today

મોરબીના સોખડા ગામ પાસે લેમીનેટ યુનિટમાં અંતિમ પગલું ભરી લેતા યુવાનનું મોત


SHARE













મોરબીના સોખડા ગામ પાસે લેમીનેટ યુનિટમાં અંતિમ પગલું ભરી લેતા યુવાનનું મોત

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા સોખડા ગામના પાટીયા પાસે લેમીનેટના કારખાનાની અંદર આવેલ લેબર કવાટરમાં રહેતા અને મૂળ જૂનાગઢના યુવાને લેબર કવાટરમાં અંતિમ પગલું ભરી લીધું હતું અને ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજયુ હોવાનું તાલુકા પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે

મોરબીના સામાકાંઠે માળિયા હાઇવે ઉપર આવેલા સોખડા ગામના પાટીયા પાસે ફાસ્ટેન લેમીનેટ નામનું યુનિટ આવેલ છે.તેના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા અને મૂળ જૂનાગઢના કેશોદ તાલુકાના ડેરવાણા ગામના પ્રફુલભાઈ હમીરભાઈ બકુત્રા જાતે આહિર નામના ૩૫ વર્ષના યુવાને આજે તા.૧-૮ ના મોડી રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં તેના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈને અંતિમ પગલું ભરી લીધું હતું અને જેના પગલે તેનું મોત થતા મનોજભાઈ જેરામભાઈ પટેલ (૪૨) હાલ રહે.પાટીદાર ટાઉનશીપ ટીંબડી પાટીયા પાસે મોરબી મૂળ રહે.ખલીપુરા રોડ વંથલી બાયપાસ ગોવર્ધન જુનાગઢ એ મોરબી તાલુકા પોલીસમાં જાણ કરતા તાલુકા પોલીસ દ્વારા મૃતક પ્રફુલભાઈ બકુત્રાની ડેડબોડી મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈ જવામાં આવી હતી.હાલ તાલુકા પોલીસ મથકના બીટ વિસ્તારના જમાદાર જે.બી.પરમાર દ્વારા આ બનાવના કારણ સંદર્ભે આગળની તપાસ કરવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઇજા

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં આવેલા વાઘગઢ ગામે મિસ્ત્રી શેરીમાં રહેતા રમેશભાઈ ભુરાભાઈ ઉઘરેજા નામના ૪૮ વર્ષીય આધેડને વાહન અકસ્માતમાં ઇજા થતા મોરબીના સામાકાંઠે આવેલી શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેઓ બાઈક લઈને ઘનશ્યામગઢ ગામેથી રાજપર ગામે જતા હતા ત્યારે રાજપર ગામે ડેમ નજીક તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ ગયું હતું અને તે બનાવમાં તેઓને ઇજા થતાં સારવાર માટે અહીં લાવવામાં આવ્યા હોય હાલ મોરબી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરાઈ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં 

મોરબીના માળીયા હાઇવે ઉપર ટીંબડી ગામે રહેતા નરેન્દ્રસિંહ અભયસિંહ રાઠોડ નામના ૩૬ વર્ષના યુવાનને તા.૩૧-૭ ના સાંજે છએક વાગ્યાના અરસામાં ટીંબડી ગામના પાટીયા પાસે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હોય તેને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.જ્યાં સારવાર કરવામાં આવ્યા બાદ આ બનાવ અંગે તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા આ બાબતે નોંધ કરી બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.






Latest News