વાંકાનેરના ઉદ્યોગપતિએ પાંજરાપોળ, શાળા અને સ્મશાનમાં લાખોનું દાન કરીને કર્યો વનપ્રવેશ
મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે
SHARE
મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે
મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા આહીર જ્ઞાતિ વિદ્યાર્થી સન્માન સમારોહ દર વર્ષે યોજવામાં આવે છે આવી જ રીતે વર્ષ ૨૦૨૨-૨૩ માં યોજાયેલ પરીક્ષાઓમાં સફળતા મેળવનારા વિદ્યાર્થીઓને સન્માનીત કરવા માટે વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે આગામી તા ૧૫ ઓગસ્ટ સુધીમાં માર્કશીટ પહોચડવા માટે આયોજકોએ જાણ કરેલ છે
મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ધો. ૧૦ અને ધો. ૧૨ માં ૬૦ ટકાથી વધુ ગુણ તેમજ અન્ય ડીગ્રીમાં ૫૦ ટકાથી વધુ ગુણ હોય તેમના માર્કશીટ મંગાવવામાં આવેલ છે અને મોરબી જીલ્લા વિસ્તારના પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપેલ હોય તે વિદ્યાર્થીઓ આ સમારોહમાં જોડાઈ શકશે તેમજ અન્ય કેન્દ્રમાંથી પરીક્ષા આપી હોય અને હાલ વિદ્યાર્થીના માતાપિતા મોરબી જીલ્લામાં હોય તો તેના પણ માર્કશીટ લેવામાં આવશે અને આ માર્કશીટ યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ રામભાઈ વાસેતરિયા, કન્યાશાળા, માળિયા(મિ.) દિનેશભાઇ હુંબલ, સ.વ.પ. કન્યા વિદ્યાલય મહેન્દ્રભાઇ કચોટ, માર્કેટીંગ યાર્ડ શનાળા રોડ મોરબી મયુરભાઈ ગુજીયા, યદુનંદન સોસાયટી ટંકારા રમેશભાઈ ધૈયા, આંબાવાડી શનાળા રોડ મોરબી વિજયભાઇ કાનગડ, વાવડીરોડ મોરબી અજયભાઇ ડાંગર, વિદ્યુતનગર હરિપાર્ક વિક્રમભાઇ ડાંગર, પ્રદિપભાઇ કુવાડિયા, હરદેવભાઇ કાનગડ, રમેશભાઇ હુંબલ, ખોડાભાઇ લાવડિયા, સંજયભાઇ લોખીલ, વિનયભાઇ વાંક, ગૌરાંગભાઇ ગોહેલ, હિતેષભાઇ ડાંગર, વિજયભાઇ, અમિતભાઈ ખાંભરા વિગેરેને પહોચાડી શકશે