મોરબીમાં કારખાનાઓ બંધ હોય પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ
Breaking news
Morbi Today

વાંકાનેરના ઉદ્યોગપતિએ પાંજરાપોળ, શાળા અને સ્મશાનમાં લાખોનું દાન કરીને કર્યો વનપ્રવેશ


SHARE













વાંકાનેરના ઉદ્યોગપતિએ પાંજરાપોળ, શાળા અને સ્મશાનમાં લાખોનું દાન કરીને કર્યો વનપ્રવેશ

મૂળ જસદણના વતની વાંકાનેરને કર્મભૂમિ બનાવી માત્ર ૧૭ વર્ષની વયે પિતાના વ્યવસાયમા જોડાઈને જીવનના ૫૦ વર્ષમાં છ ફેકટરીની સ્થાપના કરી છે અને યુવા ઉદ્યોગપતિ તેમજ વાંકાનેરમાં ભામાશા તરીકે ઓળખાતા પ્રજ્ઞેશભાઈ પટેલે સેવાકીય કામ કરીને વનપ્રવેશ કરેલ છે જેમાં તેમણે પાંજરાપોળ, શાળા અને સ્મશાનમાં લાખોનું દાન કર્યું છે

વાંકાનેરમાં રહેતા પ્રજ્ઞેશભાઈ પટેલે જન્મ દિવસ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષા રોપણ, ગાયત્રી મંદિર દ્વારા ચાલતી શાળામાં અભ્યાસ કરતા ૨૦૦ થી વધુ બાળકોને ગિફ્ટ, પાંજરાપોળને ૭.૫૧ લાખ, શહેરના બે સ્મશાનને માતબર રકમનું દાન આપ્યું છે હાલમાં પ્રજ્ઞેશભાઈ પટેલ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ, વાંકાનેર એજ્યુકેશન સોસાયટીમા ટ્રસ્ટી, પાંજરાપોળનાં સેક્રેટરી, સિવિલ હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિના સભ્ય, વાંકાનેર પાટીદાર સેવા સમાજના પ્રમુખ, ઉમિયાધામ સીદસરનાં ટ્રસ્ટી જેવા અનેક સંસ્થાઓની સામે સંકળાયેલ છે આજની તારીખે તેઓ ૪૦૦ થી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે ત્યારે તેઓના જન્મ દિવસે શહેરના સંતો મહંતો, સમાજના શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ, વેપારીઓ સહિતનાઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા






Latest News