મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

વાંકાનેરના ઉદ્યોગપતિએ પાંજરાપોળ, શાળા અને સ્મશાનમાં લાખોનું દાન કરીને કર્યો વનપ્રવેશ


SHARE













વાંકાનેરના ઉદ્યોગપતિએ પાંજરાપોળ, શાળા અને સ્મશાનમાં લાખોનું દાન કરીને કર્યો વનપ્રવેશ

મૂળ જસદણના વતની વાંકાનેરને કર્મભૂમિ બનાવી માત્ર ૧૭ વર્ષની વયે પિતાના વ્યવસાયમા જોડાઈને જીવનના ૫૦ વર્ષમાં છ ફેકટરીની સ્થાપના કરી છે અને યુવા ઉદ્યોગપતિ તેમજ વાંકાનેરમાં ભામાશા તરીકે ઓળખાતા પ્રજ્ઞેશભાઈ પટેલે સેવાકીય કામ કરીને વનપ્રવેશ કરેલ છે જેમાં તેમણે પાંજરાપોળ, શાળા અને સ્મશાનમાં લાખોનું દાન કર્યું છે

વાંકાનેરમાં રહેતા પ્રજ્ઞેશભાઈ પટેલે જન્મ દિવસ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષા રોપણ, ગાયત્રી મંદિર દ્વારા ચાલતી શાળામાં અભ્યાસ કરતા ૨૦૦ થી વધુ બાળકોને ગિફ્ટ, પાંજરાપોળને ૭.૫૧ લાખ, શહેરના બે સ્મશાનને માતબર રકમનું દાન આપ્યું છે હાલમાં પ્રજ્ઞેશભાઈ પટેલ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ, વાંકાનેર એજ્યુકેશન સોસાયટીમા ટ્રસ્ટી, પાંજરાપોળનાં સેક્રેટરી, સિવિલ હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિના સભ્ય, વાંકાનેર પાટીદાર સેવા સમાજના પ્રમુખ, ઉમિયાધામ સીદસરનાં ટ્રસ્ટી જેવા અનેક સંસ્થાઓની સામે સંકળાયેલ છે આજની તારીખે તેઓ ૪૦૦ થી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે ત્યારે તેઓના જન્મ દિવસે શહેરના સંતો મહંતો, સમાજના શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ, વેપારીઓ સહિતનાઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા






Latest News