વાંકાનેર તાલુકા પંચાયતમા સભ્યો-સ્ટાફ દ્વારા કેસરીદેવસિંહ ઝલાનું કરાયું સન્માન
મોરબીના પરશુરામ ધામ ખાતે આસામ રાયફલ્સમાં જોડાયેલ ડો. પ્રયાગભાઈ દવેનું કર્યું સન્માન
SHARE
મોરબીના પરશુરામ ધામ ખાતે આસામ રાયફલ્સમાં જોડાયેલ ડો. પ્રયાગભાઈ દવેનું કર્યું સન્માન
મોરબીમાં આવેલ રાજકોટ નાગરિક બેંકમાં ફરજ બજાવતા જયેશભાઇ દવેના દીકરા ડો. પ્રયાગભાઈ દવેએ એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સીઆરપીએફએસમાં આસામ રાયફલ્સમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ (મેડિકલ ઓફિસર) તરીકે જોડાયેલ છે અને તેની ટ્રેનિંગ નાગાલેન્ડ ખાતે પૂર્ણ થયેલ છે ત્યારે તે ડૉક્ટર બન્યા બાદ પણ રાષ્ટ્ર સેવા કરવીની ઈચ્છા હતી અને તેના પરિવાર તરફથી પણ તેને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું જેથી ડો. પ્રયાગભાઈએ પરિવાર અને મોરબી તેમજ બ્રહ્મસમાજનું નામ રોશન કર્યું છે ત્યારે મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે ટ્રસ્ટ તેનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે ટ્રસ્ટના પ્રમુખ ભુપતભાઇ પંડ્યા, અનિલભાઈ મહેતા, પ્રશાંતભાઈ મહેતા, રવિન્દ્રભાઈ ભટ્ટ, ચિંતનભાઈ ભટ્ટ, નીરાજભાઈ ભટ્ટ, નલિનભાઈ ભટ્ટ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા