મોરબીના પરશુરામ ધામ ખાતે આસામ રાયફલ્સમાં જોડાયેલ ડો. પ્રયાગભાઈ દવેનું કર્યું સન્માન
ટંકારાના કલ્યાણપર પાસે અકસ્માત સર્જીને બાઇક ચાલકનું મોત નિપજાવનાર ટ્રક ચાલકે સામે ગુનો નોંધાયો
SHARE
ટંકારાના કલ્યાણપર પાસે અકસ્માત સર્જીને બાઇક ચાલકનું મોત નિપજાવનાર ટ્રક ચાલકે સામે ગુનો નોંધાયો
ટંકારા તાલુકાના કલ્યાણપર ગામના પાટીયા પાસેથી બાઈક લઈને આધેડ પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે બેફિકરેથી પોતાનો ટ્રક ચલાવીને વાહનને બ્રેક લગાવી તેમ છતાં પણ બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને આધેડને ગંભીર ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબી સુધી લઈને આવ્યા હતા જોકે સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત આધેડનું મોત નીપજયું હતી જેથી કરીને મૃતકના ભત્રીજાએ હાલમાં ટ્રક ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા ધનજીભાઈ વશરામભાઈ દેસાઈ (૫૦) નામના આધેડ પોતાનું બાઈક લઈને ટંકારા તાલુકાના કલ્યાણપર ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા વાહન અકસ્માતના બનાવમાં તેને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું આ બનાવમાં હાલમાં મૃતકના ભત્રીજા ભરતભાઇ કાનજીભાઇ દેસાઇ જાતે પટેલ (૩૪) રહે. ઓટાળા વાળાએ ટ્રક નંબર જીજે ૧૮ યુ ૭૩૮૯ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના કાકા રોડ સાઈડમાં હતા દરમ્યાન ટ્રક ચાલકે બેફિકરાયથી પોતાનો ટ્રક ચલાવ્યો હતો અને પોતાના વાહનને બ્રેક લગાવી તેમ છતાં પણ તેને બાઈકને હડફેટે લીધું હતું જેથી ધનજીભાઈ દેસાઈને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું હાલમાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે