ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક અજાણ્યા વાહનના ઠાંઠામાં અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત


SHARE













વાંકાનેર નજીક અજાણ્યા વાહનના ઠાંઠામાં અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત

વાંકાનેર બાઉન્ડ્રી તરફ જતા નેશનલ હાઈવે રોડ ઉપર રસીકગઢ જવાના રસ્તા પાસેથી એક્ટિવા લઈને પસાર થઈ રહેલ યુવાન આગળ જતા વાહનના ઠાંઠામાં અથડાયો હતો જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં યુવાનને માથા તથા શરીરે ગંભીર ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે વાંકાનેર ત્યાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ સુધી લઈ ગયા હતા જોકે, સારવાર દરમિયાન તે યુવાનોનું મોત નીપજયું  છે જેથી હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના જીનપરા વિસ્તારમાં જુના ચંદ્રપુર રોડ ઉપર રહેતા ભરતભાઈ ઉર્ફે સચિન નાનજીભાઈ ઝીંઝવાડીયા (૨૫) નામનો યુવાન વાંકાનેર બાઉન્ડ્રી તરફ જતા નેશનલ હાઈવે રોડ ઉપર રસિકગઢ તરફ જવાના રસ્તા પાસેથી પોતાનું એકટીવા નંબર જીજે ૩૬ એએ ૬૧૬૪ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે આગળ જતા વાહનના ઠાઠાના ભાગમાં તે અથડાયો હતો જેથી કરીને યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી માટે ઇજાગ્રસ્તને પ્રથમ વાંકાનેરમાં સારવાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ સુધી લઈ ગયા હતા જો કે,  સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના આ બનાવમાં મૃતક યુવાનના ભાઈ રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ નાનજીભાઈ ઝીંઝવાડીયા (૪૨) રહે. જીનપરા જુના ચંદ્રપુર રોડ વાંકાનેર વાળાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

 અકસ્માતમાં ઇજા

વાંકાનેર તાલુકાના ઢુવા નજીક ફાટક પાસે રેલવે ટ્રેક ઉપર અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં મૂળ મધ્યપ્રદેશના રહેવાસી ગીનાભાઈ ઇન્દરસિંહ દાવલ (૩૫) અને સંકરસિંગ કલજા ભુરીયા (૪૦)  ને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તે બંનેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા ને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ બંને યુવાનોને રાજકોટ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા છે અને આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદનો હોવાથી ત્યાં જાણ કરવા માટેની પોલીસ દ્વારા કવાયત કરવામાં આવી છે






Latest News