મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક અજાણ્યા વાહનના ઠાંઠામાં અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત


SHARE









વાંકાનેર નજીક અજાણ્યા વાહનના ઠાંઠામાં અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત

વાંકાનેર બાઉન્ડ્રી તરફ જતા નેશનલ હાઈવે રોડ ઉપર રસીકગઢ જવાના રસ્તા પાસેથી એક્ટિવા લઈને પસાર થઈ રહેલ યુવાન આગળ જતા વાહનના ઠાંઠામાં અથડાયો હતો જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં યુવાનને માથા તથા શરીરે ગંભીર ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે વાંકાનેર ત્યાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ સુધી લઈ ગયા હતા જોકે, સારવાર દરમિયાન તે યુવાનોનું મોત નીપજયું  છે જેથી હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના જીનપરા વિસ્તારમાં જુના ચંદ્રપુર રોડ ઉપર રહેતા ભરતભાઈ ઉર્ફે સચિન નાનજીભાઈ ઝીંઝવાડીયા (૨૫) નામનો યુવાન વાંકાનેર બાઉન્ડ્રી તરફ જતા નેશનલ હાઈવે રોડ ઉપર રસિકગઢ તરફ જવાના રસ્તા પાસેથી પોતાનું એકટીવા નંબર જીજે ૩૬ એએ ૬૧૬૪ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે આગળ જતા વાહનના ઠાઠાના ભાગમાં તે અથડાયો હતો જેથી કરીને યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી માટે ઇજાગ્રસ્તને પ્રથમ વાંકાનેરમાં સારવાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ સુધી લઈ ગયા હતા જો કે,  સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના આ બનાવમાં મૃતક યુવાનના ભાઈ રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ નાનજીભાઈ ઝીંઝવાડીયા (૪૨) રહે. જીનપરા જુના ચંદ્રપુર રોડ વાંકાનેર વાળાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

 અકસ્માતમાં ઇજા

વાંકાનેર તાલુકાના ઢુવા નજીક ફાટક પાસે રેલવે ટ્રેક ઉપર અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં મૂળ મધ્યપ્રદેશના રહેવાસી ગીનાભાઈ ઇન્દરસિંહ દાવલ (૩૫) અને સંકરસિંગ કલજા ભુરીયા (૪૦)  ને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તે બંનેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા ને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ બંને યુવાનોને રાજકોટ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા છે અને આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદનો હોવાથી ત્યાં જાણ કરવા માટેની પોલીસ દ્વારા કવાયત કરવામાં આવી છે






Latest News