મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક સૌરાષ્ટ્ર જનતા ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE









વાંકાનેર નજીક સૌરાષ્ટ્ર જનતા ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને જીવન ટૂંકાવ્યું

વાંકાનેરમાંથી પસાર થતી સૌરાષ્ટ્ર જનતા ટ્રેનના રેલ્વે ટ્રેક ઉપર સૂઈ જઈને અજાણ્યા ૪૦ વર્ષના યુવાને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને હાલમાં વાંકાનેર પોલીસ દ્વારા આગળની તજવીક શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાંથી રેલ્વે ટ્રેક ઉપરથી સૌરાષ્ટ્ર જનતા ટ્રેન બપોરના પોણા ચારેક વાગ્યાના અરસામાં પસાર થઈ રહી હતી ત્યારે કોઈ અજાણ્યા ૪૦ વર્ષના યુવાને રેલવે ટ્રેક ઉપર સૂઈ જઈને રેલ્વે ટ્રેન હેઠળ આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને મનદીપસિંહ જીતેન્દ્રસિંહ ઝાલા રહે. પ્રતાપ ચોક વાંકાનેર વાળા વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તેમના દ્વારા વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતક યુવાની ઓળખ મેળવવા માટે થઈને વાંકાનેર સિટી પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે આ બનાવની આગળની વધુ તપાસ વનરાજસિંહ અભેસિંહ ઝાલા ચલાવી રહ્યા છે

યુવાન સારવારમાં
ટંકારા તાલુકાના ઓળ ગામે રહેતો અનિલભાઈ ભનુભાઈ કેરવાડીયા (૨૫) નામનો યુવાન ઓળ ગામે હતો ત્યારે ત્યાં કોઈ કારણોસર તે બેટરીમાં નાખવાનું પ્રવાહી પી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એચ.એમ. ચાવડા દ્વારા કરવામાં આવી હતી જોકે, આ બનાવ ટંકારા તાલુકા પોલીસનો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે






Latest News