ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

હળવદમાં પત્ની રિસામણે હોય યુવાને ન કરવાનું કર્યું


SHARE













હળવદમાં પત્ની રિસામણે હોય યુવાને ન કરવાનું કર્યું

હળવદમાં બસ સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા યુવાનની પત્ની રિસામણે હોય તે માનસિક તળાવમાં રહેતો હતો દરમિયાન તેને પોતાના ઘરની અંદર છતના હુક સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તેના પિતા હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને તેમના દ્વારા આ બનાવાની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં બસ સ્ટેશનની પાછળના ભાગમાં રહેતો રવિભાઈ સુરેશભાઈ સોલંકી જાતે અનુ.જાતિ (ઉમર ૨૨) નામનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે ઘરની અંદર છતના હુકમાં સાડી બાંધીને પોતે પોતાની જાતે ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને તેના પિતા સુરેશભાઈ ડાયાભાઈ સોલંકી (ઉમર ૪૩) હળવદની સરકાર હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ સુરેશભાઈ સોલંકી દ્વારા આપઘાતના આ બનાવ અંગેની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં આ બનાવની આગળની તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના બી.એમ.આલ ચલાવી રહ્યા છે અને પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક યુવાનની પત્ની રિસામણે હોય અને યુવાન માનસિક તણાવમાં રહેતો હતો દરમિયાન તેને લાગી આવતા તેને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીછેલ છે તેવું મૃતકના પરિવારજનો પાસેથી જાણવા મળી રહ્યું છે.

એસિડ પી જતા સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતા ગીતાબેન ધનજીભાઈ કલોદરા નામની ૪૨ વર્ષીય મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવી હતી.ગીતાબેન કોઈ કારણસર તેમના ઘરે એસિડ પી ગયા હોય તેઓના સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા મોરબી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા નોંધ કરી બનાવના કારણ અંગે વધુ તપાસ અર્થે આ અંગે હળવદ પોલીસમાં જાણ કરવામાં આવી હતી

યુવાન સારવારમાં

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના શિવપુર ગામે રહેતા વાસુભાઈ ઈશ્વરભાઈ ઠાકોર નામના ૨૨ વર્ષના યુવાને ગામમાં કોઇ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સાવયરવાર માટે મોરબીની મંગલમ હોસ્પીટલે લાવવામાં આવ્યો હતો.એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફૂલતરીયા દ્વારા પ્રાથમિક તપાસ કરીને આ અંગે હળવદ પોલીસમાં જાણ કરવામાં આવી હતી






Latest News