મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

હળવદમાં પત્ની રિસામણે હોય યુવાને ન કરવાનું કર્યું


SHARE









હળવદમાં પત્ની રિસામણે હોય યુવાને ન કરવાનું કર્યું

હળવદમાં બસ સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા યુવાનની પત્ની રિસામણે હોય તે માનસિક તળાવમાં રહેતો હતો દરમિયાન તેને પોતાના ઘરની અંદર છતના હુક સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તેના પિતા હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને તેમના દ્વારા આ બનાવાની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં બસ સ્ટેશનની પાછળના ભાગમાં રહેતો રવિભાઈ સુરેશભાઈ સોલંકી જાતે અનુ.જાતિ (ઉમર ૨૨) નામનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે ઘરની અંદર છતના હુકમાં સાડી બાંધીને પોતે પોતાની જાતે ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને તેના પિતા સુરેશભાઈ ડાયાભાઈ સોલંકી (ઉમર ૪૩) હળવદની સરકાર હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ સુરેશભાઈ સોલંકી દ્વારા આપઘાતના આ બનાવ અંગેની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં આ બનાવની આગળની તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના બી.એમ.આલ ચલાવી રહ્યા છે અને પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક યુવાનની પત્ની રિસામણે હોય અને યુવાન માનસિક તણાવમાં રહેતો હતો દરમિયાન તેને લાગી આવતા તેને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીછેલ છે તેવું મૃતકના પરિવારજનો પાસેથી જાણવા મળી રહ્યું છે.

એસિડ પી જતા સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતા ગીતાબેન ધનજીભાઈ કલોદરા નામની ૪૨ વર્ષીય મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવી હતી.ગીતાબેન કોઈ કારણસર તેમના ઘરે એસિડ પી ગયા હોય તેઓના સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા મોરબી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા નોંધ કરી બનાવના કારણ અંગે વધુ તપાસ અર્થે આ અંગે હળવદ પોલીસમાં જાણ કરવામાં આવી હતી

યુવાન સારવારમાં

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના શિવપુર ગામે રહેતા વાસુભાઈ ઈશ્વરભાઈ ઠાકોર નામના ૨૨ વર્ષના યુવાને ગામમાં કોઇ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સાવયરવાર માટે મોરબીની મંગલમ હોસ્પીટલે લાવવામાં આવ્યો હતો.એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફૂલતરીયા દ્વારા પ્રાથમિક તપાસ કરીને આ અંગે હળવદ પોલીસમાં જાણ કરવામાં આવી હતી






Latest News