માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીના કોયલી ગામેથી ગુમ થયેલા યુવાનની નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી


SHARE













મોરબીના કોયલી ગામેથી ગુમ થયેલા યુવાનની નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી

મોરબીના કોયલી કાસા ગામેથી યુવાન ગુમા થયો હતો જેને પોલીસ અને પરિવારજનોએ શોધી રહ્યા હતા દરમ્યાન ગામ પાસે આવેલ નદી નજીક બાવળની જાળીમાંથી તેની કોહવાય ગયેલ હાલતમાં લાશ મળી છે જેથી કરીને તાલુકા પોલીસની ટિમ સ્થળ ઉપર પહોચી હતી અને તેના મૃતદેહને હાલમાં ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે અને બનવાની નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે

જાણવા મળતી મહિતી મુજબ મોરબીના કોયલી કાસા ગામે રહેતો રવિભાઈ વિરાભાઇ કળોતરા (૧૯)  જે માલઢોર ચરાવવા માટે ગયો હતો અને ત્યાર બાદ તે ગુમ થયો હતો જેથી તેના પરિવારજનો શોધતા હતા અને બનાવની મોરબી તાલુકા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી દરમ્યાન આજે ગામ પાસે આવેલ ડેમી નદીના કાંઠે બાવળની જાળીમાં લાશ પડી હોવાની મુકેશભાઇ બચુભાઈ ડાંગરે જાણ કરી હતી જેથી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. પટેલ સ્થળ ઉપર પહોચ્યા હતા અને યુવાનની લાશ કોહવાય ગયેલ હોવાથી ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે વધુમાં જે.પી. પટેલ પાસેથી મળતી માહિતી મુજબ યુવાન તેના મિત્રો સાથે અવાર નવાર નદીમાં ન્હાવા માટે જતો હતો અને તેની માનસિક બીમારીની દવા પણ ચાલી રહી હતી તેવામાં તે એકલો ન્હાવા માટે ગયો હતો ત્યારે પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નીપજયું હોવાનું હાલમાં દેખાઈ રહ્યું છે જો કે, મોતનું ચોક્કસ કારણ જાણવા માટે બોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે






Latest News