મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે પાલિકા દ્વારા આડેધડ કચરાના ઢગલા: લોકોના આરોગ્યને નુકશાન


SHARE







મોરબીના લાલપર પાસે પાલિકા દ્વારા આડેધડ કચરાના ઢગલા: લોકોના આરોગ્યને નુકશાન

મોરબીમાંથી કચરા ઉપાડીને લાલપર પાસે સબ સ્ટેશન પાસે રોડના કાંઠે આડેધડ કચરાના ઢગલા કરવામાં આવે છે જેથી કરીને મોરબી તાલુકા ભાજપના પ્રમુખે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે અને મોરબી પાલિકાના ટ્રેક્ટરો આડેધડ કચરા નાખી જાય છે તેના લીધે લોકોના જન આરોગ્યને નુકશાન થાય તેવી શક્યતા છે જો કે, કામ કયારે કરવામાં આવશે તે સવાલ છે

મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયાએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરેલ છે કે, લાલપર પાસે સબ સ્ટેશન પાછળના ભાગમાં મોરબી પાલીકાના ટ્રેકટર દ્વારા આડેધડ કચરાના ઢગલા કરવામાં આવે છે તેમજ મરેલા પ્રાણી, એઠવાડ જેવો ગંદકી ત્યાં નાખવામાં આવે છે જેથી કરીને લોકોને આરોગ્યને નુકશાન થાય તેમ છે અને સિરામિક ફેકટરીના મજૂરોને તેની કોલોનીમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે અને જેટકોના કર્મચારી તથા સિરામિકના મજુરો ત્યાં રહેવા તૈયાર નથી. જેથી વહેલી તકે આ ગંદકી અને કચરાના ઢગલા હટાવવામાં આવે તેવી માંગ કરી છે 






Latest News