આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે પાલિકા દ્વારા આડેધડ કચરાના ઢગલા: લોકોના આરોગ્યને નુકશાન


SHARE













મોરબીના લાલપર પાસે પાલિકા દ્વારા આડેધડ કચરાના ઢગલા: લોકોના આરોગ્યને નુકશાન

મોરબીમાંથી કચરા ઉપાડીને લાલપર પાસે સબ સ્ટેશન પાસે રોડના કાંઠે આડેધડ કચરાના ઢગલા કરવામાં આવે છે જેથી કરીને મોરબી તાલુકા ભાજપના પ્રમુખે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે અને મોરબી પાલિકાના ટ્રેક્ટરો આડેધડ કચરા નાખી જાય છે તેના લીધે લોકોના જન આરોગ્યને નુકશાન થાય તેવી શક્યતા છે જો કે, કામ કયારે કરવામાં આવશે તે સવાલ છે

મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયાએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરેલ છે કે, લાલપર પાસે સબ સ્ટેશન પાછળના ભાગમાં મોરબી પાલીકાના ટ્રેકટર દ્વારા આડેધડ કચરાના ઢગલા કરવામાં આવે છે તેમજ મરેલા પ્રાણી, એઠવાડ જેવો ગંદકી ત્યાં નાખવામાં આવે છે જેથી કરીને લોકોને આરોગ્યને નુકશાન થાય તેમ છે અને સિરામિક ફેકટરીના મજૂરોને તેની કોલોનીમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે અને જેટકોના કર્મચારી તથા સિરામિકના મજુરો ત્યાં રહેવા તૈયાર નથી. જેથી વહેલી તકે આ ગંદકી અને કચરાના ઢગલા હટાવવામાં આવે તેવી માંગ કરી છે 






Latest News