માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે પાલિકા દ્વારા આડેધડ કચરાના ઢગલા: લોકોના આરોગ્યને નુકશાન


SHARE













મોરબીના લાલપર પાસે પાલિકા દ્વારા આડેધડ કચરાના ઢગલા: લોકોના આરોગ્યને નુકશાન

મોરબીમાંથી કચરા ઉપાડીને લાલપર પાસે સબ સ્ટેશન પાસે રોડના કાંઠે આડેધડ કચરાના ઢગલા કરવામાં આવે છે જેથી કરીને મોરબી તાલુકા ભાજપના પ્રમુખે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે અને મોરબી પાલિકાના ટ્રેક્ટરો આડેધડ કચરા નાખી જાય છે તેના લીધે લોકોના જન આરોગ્યને નુકશાન થાય તેવી શક્યતા છે જો કે, કામ કયારે કરવામાં આવશે તે સવાલ છે

મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયાએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરેલ છે કે, લાલપર પાસે સબ સ્ટેશન પાછળના ભાગમાં મોરબી પાલીકાના ટ્રેકટર દ્વારા આડેધડ કચરાના ઢગલા કરવામાં આવે છે તેમજ મરેલા પ્રાણી, એઠવાડ જેવો ગંદકી ત્યાં નાખવામાં આવે છે જેથી કરીને લોકોને આરોગ્યને નુકશાન થાય તેમ છે અને સિરામિક ફેકટરીના મજૂરોને તેની કોલોનીમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે અને જેટકોના કર્મચારી તથા સિરામિકના મજુરો ત્યાં રહેવા તૈયાર નથી. જેથી વહેલી તકે આ ગંદકી અને કચરાના ઢગલા હટાવવામાં આવે તેવી માંગ કરી છે 






Latest News