મોરબીની એલ.ઈ. કોલેજમાં પીવાના પાણી-સ્વચ્છતા માટે એબીવીપીની રજૂઆત
મોરબીની સોમૈયા સોસાયટીમાં ભાગવત સપ્તાહનું આયોજન
SHARE
મોરબીની સોમૈયા સોસાયટીમાં ભાગવત સપ્તાહનું આયોજન
મોરબીના વાવડી રોડે આએવલ સોમૈયા સોસાયટીમાં સમસ્ત સોમૈયા સોસાયટી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા ૧૦ થી કથા શરૂ થશે
મોરબીના વાવડી રોડ આવેલ સોમૈયા સોસાયટીમાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે આગામી તા ૧૦ ઓગસ્ટથી લઈને ૧૬ ઓગસ્ટ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શાસ્ત્રી રાજનદાદા (મોરબીવાળા) તેની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે અને કથા બપોરે ૨:૩૦ થી સાંજના ૬:૦૦ વાગ્યા સુધી કથા ચાલુ રહેશે અને કથામાં દરેક ધાર્મિક પ્રસંગને ઉજવવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ વાતે છે કે, કથામાં એકત્ર થનાર ફાળો ધાર્મિક કાર્યમાં વપરવામાં આવશે. જેથી કરીને આ કથાનો લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે









