મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના જુદાજુદા ગામોમાં સીમા જાગરણ મંચ સહિતની 3 સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયા હળવદના કેદારીયા ગામ નજીકથી દારૂની 324 બોટલ સાથે બે શખ્સ પકડાયા: 1.51 લાખનો મુદામાલ કબ્જે ટીબી હારેગા ભારત જીતેગા: લાયન્સ ક્લબ ઑફ મોરબી સિટી દ્વારા કાર્યક્રમ યોજાયો માળીયા (મી) નજીકથી ચકમો આપીને 38 અબોલજીવ ભરેલ આઇસર અમદાવાદ લઈને જઈ રહેલા વાહન ચાલકને ધાંગધ્રા નજીકથી ગૌરક્ષકોએ પકડ્યો મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય પૈસાના ટેન્શનમાં ઘરેથી ચાલ્યો ગયેલ યુવાન મળી આવ્યો, માનસિક અસ્થિર યુવાનની પણ ભાળ મળી મોરબીના પેપર મિલ ઉદ્યોગ ઉપર 36 કરોડનું ભારણ વધ્યું, 45 હજાર ટન ઉત્પાદન ઘટ્યું: પ્રમુખ
Breaking news
Morbi Today

મોરબીમાં મારી માટી, મારો દેશ અંતર્ગત નાગરિકો  સેલ્ફી ફોટો વેબસાઈટ પર અપલોડ કરી શકશે


SHARE













મોરબીમાં મારી માટી, મારો દેશ અંતર્ગત નાગરિકો  સેલ્ફી ફોટો વેબસાઈટ પર અપલોડ કરી શકશે

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે સ્વાતંત્ર્ય પર્વના અવસરે માતૃભૂમિના વીરો અને રાષ્ટ્રની માટીને વંદન કરવાના હેતુથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 'મારી માટી, મારો દેશ' કાર્યક્રમોનો આરંભ થઈ ચૂક્યો છે. માતૃભૂમિની સ્વતંત્રતા અને ગૌરવ માટે શહીદ થયેલા વીરોને નમન કરીને શ્રદ્ધાંજલિ આપવા તેમજ માતૃભૂમિને વંદન કરવા માટે દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત "મારી માટી, મારો દેશ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતકક્ષા એથી માંડીને દેશની રાજધાની દિલ્હી સુધી વિવિધ કાર્યક્રમોનું લોકભાગીદારી સાથે આયોજન કરીને વીર શહીદોને યાદ કરવામાં આવશે. મોરબીમાં વિવિધ કાર્યક્રમો થકી માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીને દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા લોકોને પ્રેરિત કરવામાં આવશે.

આ કાર્યક્રમો દરમિયાન આઝાદીના અમૃત મહોત્સવના પંચ પ્રણની પ્રતિજ્ઞા લેવડાવામાં આવશે અને સહભાગીઓ આ પ્રતિજ્ઞા હાથમાં માટીના દીવડા લઈને કરશે. લોકો પોતાની સેલ્ફી, આ અભિયાનની વેબસાઈટ https://merimaatimeradesh.gov.in/step પર અપલોડ કરી શકશે અને પ્રમાણપત્ર પણ ડાઉનલોડ કરી શકાશે. નાગરિકો પોતાના ગામમાં, તાલુકા અને શહેરમાં યોજાનાર કાર્યક્રમમાં જોડાઈ સેલ્ફી સ્ટેન્ડ પાસે દીવો લઈને સેલ્ફી ક્લિક કરી આ વેબસાઈટ પર અપલોડ કરી રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ દર્શાવી શકે છે. આ અંગેની વિગતો https://yuva.gov.in/ વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે. શહેરોથી લઈ ગામડાઓ સુધી લોકો "મારી માટી, મારો દેશ" કેમ્પેઈનમાં જોડાઈને દેશના સ્વંતત્રતા અપાવનારા વીરોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પે એવું આયોજન કરવામાં આવ્યું છે. સૌ મોરબીના નગરજનો પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા પાંચ પ્રણની પ્રતિજ્ઞા, માટી અને દીવા સાથે સેલ્ફી લેવા જેવી પ્રવૃત્તિઓના માધ્યમથી આ અભિયાનમાં જોડાઇ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની શકે છે.






Latest News