મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાંથી ટંકારામા હત્યાના ગુનામાં આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો આદેશ


SHARE













મોરબીની કોર્ટમાંથી ટંકારામા હત્યાના ગુનામાં આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો આદેશ

ટંકારમાં પૈસાની માંગણી કરતા પૈસા આપવાની ના પડી હતી જેથી કરીને બંધુકથી ફાયરીંગ કરી ખુન કરી નાખેલ છે તેવી પાંચ શખ્સોની એસએમે ટંકારમાં ફરિયાદ નોંધાઈ હતી જે કેસ મોરબીના બીજા એડી. ડીસ્ટ્રીક એન્ડ સેસન્સ જજ વી.એ.બુધ્ધની કોર્ટમા ચાલી જતા તમામ પુરાવા તેમજ આરોપીઓના વકીલોની દલીલોને ધ્યાને લઈને કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા આદેશ કરેલ છે

થોડા સમય પહેલા ટંકારા મુકામે આરોપી પ્રિન્સ અધારાએ મરણ જનાર સવજીભાઇ કકાસણીયા પાસે પૈસાની માંગણી કરતા મરણ જનારે પૈસા આપવાની આનાકાની કરતા આરોપી પ્રિન્સ અધારાએ માથાના ભાગે બંધુકથી ફાયરીંગ કરી ખુન કરી નાખેલ છે તેવી મરણ જનાર સવજીભાઈના દીકરા અરવીંદ કકાસણીયાએ ટંકાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપી પ્રિન્સ અધારા, હર્ષિત બેચર ઠેઠી, યોગેશ રવિન્દ્ર પાવરા, મનીષ સોનાસીંગ યાદવની ધરપકડ કરી હતી અને તેની મોરબી ડીસ્ટ્રીક કોર્ટમાં ચાર્જશીટ મૂકવામાં આવી હતી આ કામે આરોપી પ્રિન્સ અધારા અને સહ આરોપી મનીષ યાદવ વતી વકીલ જયદીપ બી. પાંચોટીયા અને ગીરીશ બી. અંબાણી રોકાયેલ હતા અને આ કામના અન્ય સહ આરોપી હર્ષિત બેચર ઠેઠી, યોગેશ રવિન્દે પાવરા વતી વકીલ જે.એ. ઓઝા, એફ.જે. ઓઝા, સેનાઝબેન સુમરા, દેવીપ્રસાદ કે. જોષી અને એલ.આર. ગઢવી રોકાયેલ હતા. આ કેસ મોરબીના બીજા એડી. ડીસ્ટ્રીક એન્ડ સેસન્સ જજ વી.એ.બુધ્ધની કોર્ટમા ચાલી જતા તમામ પુરાવા તેમજ આરોપીઓના વકીલો દ્વારા કરવામાં આવેલ ધારદાર અને કાયદાકીય રજુઆત કરવામાં આવી હતી જેને ધ્યાનમાં લઈ આરોપીને તા.૯-૮-૨૦૨૩ ના રોજ તમામ આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટે આદેશ કરેલ છે.આ કેસમાં આરોપી તરફે મોરબીના વકીલ જે.બી. પાંચોટીયા, જે.એ. ઓઝા, ગીરીશ બી. અંબાણી, એફ.જે. ઓઝા, સેનાઝબેન સુમરા, દેવીપ્રસાદ કે. જોષી અને એલ.આર. ગઢવી રોકાયેલ હતા






Latest News