મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના જુદાજુદા ગામોમાં સીમા જાગરણ મંચ સહિતની 3 સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયા હળવદના કેદારીયા ગામ નજીકથી દારૂની 324 બોટલ સાથે બે શખ્સ પકડાયા: 1.51 લાખનો મુદામાલ કબ્જે ટીબી હારેગા ભારત જીતેગા: લાયન્સ ક્લબ ઑફ મોરબી સિટી દ્વારા કાર્યક્રમ યોજાયો માળીયા (મી) નજીકથી ચકમો આપીને 38 અબોલજીવ ભરેલ આઇસર અમદાવાદ લઈને જઈ રહેલા વાહન ચાલકને ધાંગધ્રા નજીકથી ગૌરક્ષકોએ પકડ્યો મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય પૈસાના ટેન્શનમાં ઘરેથી ચાલ્યો ગયેલ યુવાન મળી આવ્યો, માનસિક અસ્થિર યુવાનની પણ ભાળ મળી મોરબીના પેપર મિલ ઉદ્યોગ ઉપર 36 કરોડનું ભારણ વધ્યું, 45 હજાર ટન ઉત્પાદન ઘટ્યું: પ્રમુખ
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાંથી ટંકારામા હત્યાના ગુનામાં આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો આદેશ


SHARE













મોરબીની કોર્ટમાંથી ટંકારામા હત્યાના ગુનામાં આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો આદેશ

ટંકારમાં પૈસાની માંગણી કરતા પૈસા આપવાની ના પડી હતી જેથી કરીને બંધુકથી ફાયરીંગ કરી ખુન કરી નાખેલ છે તેવી પાંચ શખ્સોની એસએમે ટંકારમાં ફરિયાદ નોંધાઈ હતી જે કેસ મોરબીના બીજા એડી. ડીસ્ટ્રીક એન્ડ સેસન્સ જજ વી.એ.બુધ્ધની કોર્ટમા ચાલી જતા તમામ પુરાવા તેમજ આરોપીઓના વકીલોની દલીલોને ધ્યાને લઈને કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા આદેશ કરેલ છે

થોડા સમય પહેલા ટંકારા મુકામે આરોપી પ્રિન્સ અધારાએ મરણ જનાર સવજીભાઇ કકાસણીયા પાસે પૈસાની માંગણી કરતા મરણ જનારે પૈસા આપવાની આનાકાની કરતા આરોપી પ્રિન્સ અધારાએ માથાના ભાગે બંધુકથી ફાયરીંગ કરી ખુન કરી નાખેલ છે તેવી મરણ જનાર સવજીભાઈના દીકરા અરવીંદ કકાસણીયાએ ટંકાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપી પ્રિન્સ અધારા, હર્ષિત બેચર ઠેઠી, યોગેશ રવિન્દ્ર પાવરા, મનીષ સોનાસીંગ યાદવની ધરપકડ કરી હતી અને તેની મોરબી ડીસ્ટ્રીક કોર્ટમાં ચાર્જશીટ મૂકવામાં આવી હતી આ કામે આરોપી પ્રિન્સ અધારા અને સહ આરોપી મનીષ યાદવ વતી વકીલ જયદીપ બી. પાંચોટીયા અને ગીરીશ બી. અંબાણી રોકાયેલ હતા અને આ કામના અન્ય સહ આરોપી હર્ષિત બેચર ઠેઠી, યોગેશ રવિન્દે પાવરા વતી વકીલ જે.એ. ઓઝા, એફ.જે. ઓઝા, સેનાઝબેન સુમરા, દેવીપ્રસાદ કે. જોષી અને એલ.આર. ગઢવી રોકાયેલ હતા. આ કેસ મોરબીના બીજા એડી. ડીસ્ટ્રીક એન્ડ સેસન્સ જજ વી.એ.બુધ્ધની કોર્ટમા ચાલી જતા તમામ પુરાવા તેમજ આરોપીઓના વકીલો દ્વારા કરવામાં આવેલ ધારદાર અને કાયદાકીય રજુઆત કરવામાં આવી હતી જેને ધ્યાનમાં લઈ આરોપીને તા.૯-૮-૨૦૨૩ ના રોજ તમામ આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટે આદેશ કરેલ છે.આ કેસમાં આરોપી તરફે મોરબીના વકીલ જે.બી. પાંચોટીયા, જે.એ. ઓઝા, ગીરીશ બી. અંબાણી, એફ.જે. ઓઝા, સેનાઝબેન સુમરા, દેવીપ્રસાદ કે. જોષી અને એલ.આર. ગઢવી રોકાયેલ હતા






Latest News