મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં વેપારીના આપઘાત કેસમાં બે આરોપીનો છુટકારો


SHARE













મોરબીમાં વેપારીના આપઘાત કેસમાં બે આરોપીનો છુટકારો

મોરબીમાં ઘડિયાળના ફોઈલિંગનું કામ કરતા વેપારીએ ઉછીના પૈસા લીધા હતા જેની બંને આરોપીઓ દ્વારા પૈસાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી જેથી કરીને વેપારીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જે કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા બચાવપક્ષના વકીલે કરેલ દલીલોને ધ્યાને લઈને કોર્ટે બન્ને આરોપીઓને છોડી મુકવા આદેશ કરેલ છે

વર્ષ ૨૦૧૨ માં મોરબીમાં લાતીપ્લોટમાં ઘડિયાળના ફોઈલિંગનું કામ કરતાં વેપારી રસિકભાઈ શામજીભાઈ મારૂએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો ત્યાર બાદ તેના દીકરા જયકુમાર રસિકભાઈ મારૂએ આરોપી મહાવીરસિંહ ઉર્ફે રહુભા રાઠોડ રહે. હાઉસિંગ બોર્ડ સામાકાંઠે મોરબી અને ભાવેશભાઈ વિનુભાઈ મહેતા રહે. વાવડી રોડ ભગવતી પરા મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, ઉછીના પૈસા લીધા હતા જેની બંને આરોપીઓ દ્વારા પૈસાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી જેથી ઉઘરાણીથી કંટાળી આપઘાત કર્યો છે જે અંગેની પોલીસે સ્યુસાઇડ નોટ પણ કબ્જે કરી હતી આ કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં સરકાર પક્ષ અને ફરિયાદ પક્ષ કેસ પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલ અને બચાવ પક્ષે એડવોકેટ બ્રિજેશભાઈ (ટીનાભાઇ) નંદાસણાએ કરેલ ધારદાર દલીલો, ઉલટ તપાસ ઉપરાંત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજૂ કર્યા હતા તેને ધ્યાને લઈને કોર્ટે બંને આરોપીઓને છોડી મુકવા આદેશ કરેલ છે






Latest News