રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં વેપારીના આપઘાત કેસમાં બે આરોપીનો છુટકારો


SHARE









મોરબીમાં વેપારીના આપઘાત કેસમાં બે આરોપીનો છુટકારો

મોરબીમાં ઘડિયાળના ફોઈલિંગનું કામ કરતા વેપારીએ ઉછીના પૈસા લીધા હતા જેની બંને આરોપીઓ દ્વારા પૈસાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી જેથી કરીને વેપારીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જે કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા બચાવપક્ષના વકીલે કરેલ દલીલોને ધ્યાને લઈને કોર્ટે બન્ને આરોપીઓને છોડી મુકવા આદેશ કરેલ છે

વર્ષ ૨૦૧૨ માં મોરબીમાં લાતીપ્લોટમાં ઘડિયાળના ફોઈલિંગનું કામ કરતાં વેપારી રસિકભાઈ શામજીભાઈ મારૂએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો ત્યાર બાદ તેના દીકરા જયકુમાર રસિકભાઈ મારૂએ આરોપી મહાવીરસિંહ ઉર્ફે રહુભા રાઠોડ રહે. હાઉસિંગ બોર્ડ સામાકાંઠે મોરબી અને ભાવેશભાઈ વિનુભાઈ મહેતા રહે. વાવડી રોડ ભગવતી પરા મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, ઉછીના પૈસા લીધા હતા જેની બંને આરોપીઓ દ્વારા પૈસાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી જેથી ઉઘરાણીથી કંટાળી આપઘાત કર્યો છે જે અંગેની પોલીસે સ્યુસાઇડ નોટ પણ કબ્જે કરી હતી આ કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં સરકાર પક્ષ અને ફરિયાદ પક્ષ કેસ પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલ અને બચાવ પક્ષે એડવોકેટ બ્રિજેશભાઈ (ટીનાભાઇ) નંદાસણાએ કરેલ ધારદાર દલીલો, ઉલટ તપાસ ઉપરાંત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજૂ કર્યા હતા તેને ધ્યાને લઈને કોર્ટે બંને આરોપીઓને છોડી મુકવા આદેશ કરેલ છે






Latest News