મોરબીની કોર્ટમાંથી ટંકારામા હત્યાના ગુનામાં આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો આદેશ
મોરબીમાં વેપારીના આપઘાત કેસમાં બે આરોપીનો છુટકારો
SHARE
મોરબીમાં વેપારીના આપઘાત કેસમાં બે આરોપીનો છુટકારો
મોરબીમાં ઘડિયાળના ફોઈલિંગનું કામ કરતા વેપારીએ ઉછીના પૈસા લીધા હતા જેની બંને આરોપીઓ દ્વારા પૈસાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી જેથી કરીને વેપારીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જે કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા બચાવપક્ષના વકીલે કરેલ દલીલોને ધ્યાને લઈને કોર્ટે બન્ને આરોપીઓને છોડી મુકવા આદેશ કરેલ છે
વર્ષ ૨૦૧૨ માં મોરબીમાં લાતીપ્લોટમાં ઘડિયાળના ફોઈલિંગનું કામ કરતાં વેપારી રસિકભાઈ શામજીભાઈ મારૂએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો ત્યાર બાદ તેના દીકરા જયકુમાર રસિકભાઈ મારૂએ આરોપી મહાવીરસિંહ ઉર્ફે રહુભા રાઠોડ રહે. હાઉસિંગ બોર્ડ સામાકાંઠે મોરબી અને ભાવેશભાઈ વિનુભાઈ મહેતા રહે. વાવડી રોડ ભગવતી પરા મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, ઉછીના પૈસા લીધા હતા જેની બંને આરોપીઓ દ્વારા પૈસાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી જેથી ઉઘરાણીથી કંટાળી આપઘાત કર્યો છે જે અંગેની પોલીસે સ્યુસાઇડ નોટ પણ કબ્જે કરી હતી આ કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં સરકાર પક્ષ અને ફરિયાદ પક્ષ કેસ પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલ અને બચાવ પક્ષે એડવોકેટ બ્રિજેશભાઈ (ટીનાભાઇ) નંદાસણાએ કરેલ ધારદાર દલીલો, ઉલટ તપાસ ઉપરાંત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજૂ કર્યા હતા તેને ધ્યાને લઈને કોર્ટે બંને આરોપીઓને છોડી મુકવા આદેશ કરેલ છે