આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત મોરબીના નવા સાદુળકા ગામેથી ગુમ થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ હળવદના માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી ! વ્યાજંકવાદ : મોરબીના યુવાનને 60 ટકાના વ્યાજે લીધેલ 9 લાખ સામે 7.02 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી યથાવત !
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસે ચેકિંગ કરીને ૫૦૦થી વધુ પરપ્રાંતીય શ્રમિકોનો કોમ્પ્યુટરાઇઝ ડેટા તૈયાર કર્યો


SHARE













મોરબીમાં પોલીસે ચેકિંગ કરીને ૫૦૦થી વધુ પરપ્રાંતીય શ્રમિકોનો કોમ્પ્યુટરાઇઝ ડેટા તૈયાર કર્યો

મોરબી જીલ્લામાં લોકોની સલામતીને ધ્યાને રાખીને પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે દરમ્યાન મોરબીના સોની બજારમાં કામ કરતા કારીગરો તથા ઘરઘાટીનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ત્યાં કામ કરતાં અંદાજે ૫૦૦ થી વધુ લોકોનો કોમ્પ્યુટરાઇઝ ડેટા બનાવવામાં આવેલ છે જે ભવિષ્યમાં કોઈ પણ ઘટના બને તો આરોપી સુધી પહોચવા માટે ઉપયોગી બનશે

મોરબીની આસપાસમાં કારખાનામાં અને ખેતીમાં રોજગારી માટે ઘણા લોકો આવે છે તેવી જ રીતે સોની કામ માટે અને ઘરઘાટીના કામ માટે પણ મોટા પ્રમાણમા શ્રમિકો આવતા હોય છે ત્યારે મોરબી શહેર અને જિલ્લાના લોકોની સલામતીને ધ્યાને રાખીને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીને ચેકિંગ માટેની સૂચના આપી હતી જેથી કરીને નાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા એસ.ઓ.જી., એલ.સી.બી. તથા સ્થાનીક પોલીસની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ત્રણ દિવસમાં સોની બજાર, લાતી પ્લોટ સહિતના વિસ્તારો કે જ્યાં બહારથી આવેલા કારીગરો, મજુરો તથા ઘરઘાટી કામ કરી રહ્યા છે ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી સોની બજારમાં કામ કરતા ૨૭૦ જેટલા લોકોની આધારકાર્ડ, રહેણાંકની વિગતો તથા મોબાઇલ નંબર મેળવ્યા હતા અને તમામ વિગતોને કોમ્પ્યુટરાઇઝ કરવામાં આવેલ છે જેથી કરીને ચોરી, લૂંટ, છેતરપિંડી, સોનું લઈને ભાગી જવાની ઘટના સહિતની ઘટના બનતી અટકશે અને જો બનશે તો તેના ઉપર તૂતજ આરોપી સુધી પહોચી શકાશે એટીઆર ઉલેખનીય છે કે, આ ચેકિંગ દરમ્યાન કેટલાક સોની વેપારીના સી.સી.ટી.વી. કેમેરા બંધ હોય કે પછી ન હોય તો તેને કેમેરા ચાલુ કરવા માટેની સૂચના આપવામાં આવેલ છે






Latest News