મોરબીના અણીયારી ગામે ખેત તલાવડીમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો, ઓળખ મેળવવા તજવીજ
SHARE
મોરબીના અણીયારી ગામે ખેત તલાવડીમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો, ઓળખ મેળવવા તજવીજ
મોરબી તાલુકાના અણીયાળી ગામે ખેત તલાવડીમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે અને હાલ આ અજાણ્યો મૃતક યુવાન કોણ છે તેની ઓળખ મેળવવા માટે મોરબી તાલુકા પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે.
તા-૧૨ના રોજ મોરબી તાલુકાના અણીયારી ગામની સીમમા આવેલ વાણીયારી સીમ તરીકે ઓળખાતી ભાણજીભાઇ પ્રાગજીભાઇ કુંડારીયાની વાડીના ઉપલા શેઠે ખરાબામા આવેલ ખેત તલાવડીમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ પડ્યો હોવાનો સામે આવ્યું હતું. સમગ્ર બનાવની જાણ મોરબી તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણી વચ્ચે કોહવાઈ ગયેલી હાલતમાં રહેલા મૃતદેહને ખેત તલાવડીમાંથી બહાર કાઢીને રાજકોટ ફોરેસિક પી એમ માટે મોકલવામ આવ્યો હતો તો તેણે શરીરે કમરના ભાગે જીન્સ પેન્ટ પહેરેલ હતું. જમણા હાથે તથા ડાબા હાથના કાડામા કાળો દોરો બાંધેલ છે તથા ડોકમા કાળા દોરા વડે માદડીયુ ધારણ કર્યું હતું.પોલીસની પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું હતું કે ખેત તલાવડીમાં ડૂબી જવાના કારણે યુવકનું મોત નીપજ્યું હતું. તેની ઉંમર આશરે ૨૫ થી ૩૦ વર્ષ હોવાનું સામે આવ્યું છે.આ મામલે મોરબી તાલુકા પોલીસે મૃતક યુવક અંગે કોઈપણ માહિતી પ્રાપ્ત થાય તો મોરબી તાલુકા પોલીસ મથકના ટેલીફોન નંબર (૨૮૨૨) ૨૪૨૫૯૨ અથવા હેડ કોન્સ્ટેબલ જે.બી.પરમારના મોબાઈલ નંબર ૭૦૯૬૪ ૦૭૭૦૭ ઉપર જાણ કરવાની જાહેર જનતાને અપીલ કરવમાં આવેલ છે.