રાજકોટ ઝોન મિલેટ વાનગી સ્પર્ધામાં મોરબી જીલ્લાએ મેળવ્યું દ્વિતિય સ્થાન
મોરબી જિલ્લામાં વહિવટીતંત્રએ ૬૨,૫૦૦ તિરંગાઓનું વિતરણ કર્યું
SHARE
મોરબી જિલ્લામાં વહિવટીતંત્ર દ્વારા થયું ૬૨,૫૦૦ તિરંગાનું વિતરણ
આજે આપણો દેશ આઝાદીનો ૭૭ મો સ્વાંત્ર્ય પર્વની ઉજવણી કરવા જઈ રહ્યો છે ત્યારે દેશના ઘરે ઘરે- ખુણે ખુણે તમને બસ એક જ રંગ દેખાશે અને એ છે તિરંગાનો રંગ. આજે આપણે આપણા ઘરે તિરંગો ફરકાવીને સ્વાંત્ર્ય પર્વને આનંદ સાથે માણી શકીએ તે માટે સરકાર દ્વારા તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું છે.
જેથી સ્વાંત્ર્ય પર્વના દિવસે દેશના દરેક ઘરે લોકો તિરંગો લહેરાવી શકે તેમજ તિરંગા સાથે ફોટો પાડીને હર ઘર તિરંગા સર્ટિફિકેટ પણ મેળવી શકે. આ તિરંગા વિતરણમાં મોરબી જિલ્લાના વહિવટીતંત્ર દ્વારા જિલ્લાની ૩૬૨ ગ્રામ પંચાયતમાં કુલ ૬૨૫૦૦ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું છે. જેથી મોરબી જિલ્લાની જાહેર જનતા હર ઘર તિરંગા સર્ટિફિકેટ મેળવીને હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બને છે