મોરબીમાં આજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા
Breaking news
Morbi Today

રાજકોટ ઝોન મિલેટ વાનગી સ્પર્ધામાં  મોરબી જીલ્લાએ મેળવ્યું દ્વિતિય સ્થાન


SHARE













રાજકોટ ઝોન મિલેટ વાનગી સ્પર્ધામાં  મોરબી જીલ્લાએ મેળવ્યું દ્વિતિય સ્થાન

સમગ્ર દેશમાં આજે જ્યારે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ચાલી રહ્યું છે. ત્યારે આપણે જાણી શક્યા છીએ કે મિલેટસમાંથી પણ સ્વાદિષ્ટ અવનવી વાનગી બનાવી શકાય છે. આ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અંતર્ગત અલગ-અલગ સ્થળોએ મિલેટસની વાનગી સ્પર્ધાનું  આયોજન થતું રહે છે ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મિલેટસની વાનગી સ્પર્ધાનું  આયોજન કરવામાં આવ્યું હતું . રાજકોટ ઝોનના ૯ જિલ્લા તેમજ કોર્પોરેશનના મળીને કુલ ૩૬ આંગણવાડીની કાર્યકરોએ ભાગ લીધો હતો. જેમાં મોરબી જીલ્લાના ઉમિયાનગર આંગણવાડી કેન્દ્રના કાર્યકર ઘોડાસરા કિરણબેન અંબારામભાઈએ પૂર્ણાશક્તિ અને જારના લોટના અડદિયાની વાનગી બનાવી દ્વિતીય નંબર મેળવી મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. જે બદલ જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજા તેમજ જિલ્લા વહીવટીતંત્રએ કિરણબેનને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.રાજકોટ ઝોન મિલેટ વાનગી સ્પર્ધામાં  મોરબી જીલ્લાએ મેળવ્યું દ્વિતિય સ્થાન

સમગ્ર દેશમાં આજે જ્યારે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ચાલી રહ્યું છે. ત્યારે આપણે જાણી શક્યા છીએ કે મિલેટસમાંથી પણ સ્વાદિષ્ટ અવનવી વાનગી બનાવી શકાય છે. આ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અંતર્ગત અલગ-અલગ સ્થળોએ મિલેટસની વાનગી સ્પર્ધાનું  આયોજન થતું રહે છે ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મિલેટસની વાનગી સ્પર્ધાનું  આયોજન કરવામાં આવ્યું હતું . રાજકોટ ઝોનના ૯ જિલ્લા તેમજ કોર્પોરેશનના મળીને કુલ ૩૬ આંગણવાડીની કાર્યકરોએ ભાગ લીધો હતો. જેમાં મોરબી જીલ્લાના ઉમિયાનગર આંગણવાડી કેન્દ્રના કાર્યકર ઘોડાસરા કિરણબેન અંબારામભાઈએ પૂર્ણાશક્તિ અને જારના લોટના અડદિયાની વાનગી બનાવી દ્વિતીય નંબર મેળવી મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. જે બદલ જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજા તેમજ જિલ્લા વહીવટીતંત્રએ કિરણબેનને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે






Latest News