મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદના રણમલપુરમાં મકાન પચાવી પડનારા ભાઈની સામે વૃદ્ધે નોંધાવી લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ


SHARE







હળવદના રણમલપુરમાં મકાન પચાવી પડનારા ભાઈની સામે વૃદ્ધે નોંધાવી લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ

હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા વૃદ્ધને ગામતળની જમીનમાં પ્લોટ નં-૩૬ સરકાર દ્વારા આપવામાં આવ્યો હતો જેના ઉપર તેને મકાન બનાવ્યું હતું જે મકાન તેના જ નાના ભાઈએ પચાવી પડ્યું હોવાથી વૃદ્ધે તેના ભાઈની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા કરસનભાઈ પુંજાભાઈ રાઠોડ (૮૧)એ હાલમાં તેના નાના ભાઈ કાનજીભાઈ પુંજાભાઈ રાઠોડ સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, વર્ષ ૧૯૮૧ માં સરકાર તરફથી સાથણીમાં મળેલ પ્લોટ નં-૩૬ જેની ૮૩.૬૧ ચોરસ મીટર જમીન ઉપર તેઓએ પોતાની માલિકીનું મકાન બનાવ્યું હતું અને તેની બાજુમાં પ્લોટ નં-૩૭ કાનજીભાઈ પુંજાભાઈ તેઓના નાના ભાઈનું મકાન આવેલ છે જોકે ગામમાં કોઈ કામ ધંધો ચાલતો ન હોવાથી તેઓ અમદાવાદ ખાતે કામ ધંધો કરવા માટે થઈને અમદાવાદ જતા રહ્યા હતા અને તેઓના ઘરની બાજુમાં રહેતા તેના ભાઈ કાનજીભાઈ પુંજાભાઈને ઘરની સારસંભાળ રાખવા માટે થઈને કહ્યું હતું અને નાના ભાઈ ત્યાં રહેવા લાગેલા હતા જોકે તેને ફરિયાદીએ મકાન ખાલી કરવા માટે કહ્યું હતું ત્યારે મકાન ખાલી કરવાની ના પાડી દીધી હતી જેથી ફરિયાદી અને તેના પત્ની તથા તેના દીકરાએ તેઓના સગા સંબંધીને કહીને તેનું મકાન ખાલી કરવા માટે થઈને ફરિયાદીના નાના ભાઈને સમજાવેલ હતા પરંતુ ફરિયાદીની માલિકીનું મકાન ખાલી કરવાની તેને ના પાડી દેતા ગેરકાયદેસર રીતે મકાન પચાવી પાડેલ હતું જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા તેના નાના ભાઈની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News