મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ઘુટુ પાસે રામકો સોસાયટીમાં બહેનના ઘરે આવેલા ભાઈએ જીવન ટૂંકાવ્યું


SHARE







મોરબીના ઘુટુ પાસે રામકો સોસાયટીમાં બહેનના ઘરે આવેલા ભાઈએ જીવન ટૂંકાવ્યું

મોરબી નજીકના ઘુટુ ગામ નજીક આવેલ રામકો સોસાયટીમાં બહેનના ઘરે આવેલા ભાઈએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતકના કાકા તેના ડેડબોડીને લઈને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ખારીમાં પંચની મેલડી માતાજીના મંદિર પાસે રહેતો હરેશભાઈ નારણભાઈ સનુરા (૨૮) નામનો યુવાન મોરબી નજીકના ગામ પાસે આવેલ ઘૂટું ગામ નજીક રામકો સોસાયટીમાં રહેતા તેના બહેન હંસાબેનના ઘરે ગયો હતો અને ત્યાં તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતક યુવાનના ડેડબોડીને તેના કાકા ભરતભાઈ અમરશીભાઈ સનુરા મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવતા ડોક્ટરને તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આપઘાતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં મૃતકના પરિવારજન પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનના બહેન અને બનેવી કામે ગયા હતા અને યુવાન તેના બહેનના ઘરે એકલો હતો દરમિયાન તેણે પોતાની જાતે ગળાફાંસો ખાઈને બહેનના ઘરે આપઘાત કરી લીધેલ છે હાલમાં મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બે બીયર
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર સામેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી બિયરના બે ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે તેની પાસેથી ૨૦૦ ની કિંમતના બિયરના ટીન કબજે કર્યા હતા અને દિપકભાઈ રાજુભાઈ બુધ્ધદેવ જાતે લોહાણા (૨૮) રહે. વાઘપરા શેરી નં-૩ મોરબી વાળાની ધરપકડ કરેલ છે






Latest News