મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનમાંથી નિલેશ એરવાડીયાને આંદોલન સમિતિએ તાત્કાલિક છૂટા કર્યા મોરબીમાં બાઈક પાર્કમાં બબાલ, યુવક ઉપર છરી-ધોકાથી હુમલો મોરબીમાં યુવતી કહ્યા વગર ગુમ : પોલીસ દ્વારા શોધખોળ શરૂ મોરબીના મહેન્દ્રનગરની યુવતી ગુમ, ટીંબડી નજીકના ફાયરીંગમાં આરોપીની ધરપકડ પોલીસની ધાક કયાં ? : માળીયા મિયાણામાં લગ્ન પ્રસંગે થયેલ બોલાચાલીનું વેર લેવા બાઈક સાથે કાર અથડાવી પાઇપ વડે હુમલો-ભાગવા જતા બંદૂકથી ફાયરિંગ ! માળિયા મિયાણા માટે મોટી ખુશખબર: ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ને માળિયા સ્ટેશન પર સ્ટોપેજની સત્તાવાર મંજૂરી મોરબીના લાલપર ગામ પાસે કારખાનામાં કુડીમાં નાહવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત મોરબીમાં નજીવી વાતમાં યુવાનને જાહેરમાં પટ્ટા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

સૂર્યાસ્તના સમયે આજે ભારતમાં સોનાનો સુરજ ઉગ્યો છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી


SHARE









સૂર્યાસ્તના સમયે આજે ભારતમાં સોનાનો સુરજ ઉગ્યો છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

ચંદ્રયાન-૩ મહામિશનની ઐતિહાસિક સફળતા બદલ પ્રસન્નતા અને ગૌરવની લાગણી અનુભવતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ્રતજીએ કહ્યું કે, આજે ૨૩મી ઓગસ્ટ,૨૦૨૩ ના સૂર્યાસ્તના સમયે ભારતમાં સોનાનો સૂરજ ઉગ્યો છે. યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ભારતના વૈજ્ઞાનિકોએ ભારતને વિશ્વ સ્તર પર અભૂતપૂર્વ સન્માન અને ગૌરવ અપાવ્યું છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજીએ આ ઐતિહાસિક ક્ષણે મીઠું મોઢું કરાવીને પરસ્પર વધામણી આપી હતી. ભારતીય ક્ષિતિજ પર સૂર્ય આથમી રહ્યો હતો ત્યારે ચંદ્રયાન-૩ મહામિશનની ઐતિહાસિક સફળતા સાથે લેન્ડરે ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર ઉતરાયણ કરીને ભારતે ઇતિહાસ રચ્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવનમાં આ રોમાંચક પળોનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.






Latest News