વાંકાનેરના ધારાસભ્યના હસ્તે પરાપીપળીયા-ખંઢેરી વચ્ચેના નવા બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું મોરબીમાં ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા એક યુવાનને સાથળ, ગોળા અને કમરમાં ફેક્ચર મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી પદે નિર્મલભાઇ જારીયાની વરણી થયા ઢોલ નગારા સાથે તેઓના નિવાસ સ્થાને આતિશબાજી મોરબીના બાયપાસ રોડેથી માઠા પ્રસંગમાં જઇ રહેલા બે કૌટુંબિક ભાઈના સ્કૂટર અજાણી કારના ચાલકે હડફેટે લેતા અકસ્માત: એકને માથામાં હેમરેજ હળવદના કડીયાણા ગામે ગોળાઈમાં બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત વાંકાનેરના રાતાવિરડા પાસે કારખાનામાં રહેતા યુવાને આર્થિક તંગીના ટેન્શનમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી જિલ્લા ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર: મહામંત્રીમાં નિર્મલભાઈ જારીયા, તપનભાઇ દવે અને ચતુરભાઈ મકવાણાની વરણી મોરબીની મચ્છુ નદી ઉપર શાંતિવન આશ્રમથી વેજીટેબલ રોડને જોડતા ડાઉનસ્ટ્રીમ બ્રીજના ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાઈ
Breaking news
Morbi Today

સૂર્યાસ્તના સમયે આજે ભારતમાં સોનાનો સુરજ ઉગ્યો છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી


SHARE













સૂર્યાસ્તના સમયે આજે ભારતમાં સોનાનો સુરજ ઉગ્યો છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

ચંદ્રયાન-૩ મહામિશનની ઐતિહાસિક સફળતા બદલ પ્રસન્નતા અને ગૌરવની લાગણી અનુભવતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ્રતજીએ કહ્યું કે, આજે ૨૩મી ઓગસ્ટ,૨૦૨૩ ના સૂર્યાસ્તના સમયે ભારતમાં સોનાનો સૂરજ ઉગ્યો છે. યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ભારતના વૈજ્ઞાનિકોએ ભારતને વિશ્વ સ્તર પર અભૂતપૂર્વ સન્માન અને ગૌરવ અપાવ્યું છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજીએ આ ઐતિહાસિક ક્ષણે મીઠું મોઢું કરાવીને પરસ્પર વધામણી આપી હતી. ભારતીય ક્ષિતિજ પર સૂર્ય આથમી રહ્યો હતો ત્યારે ચંદ્રયાન-૩ મહામિશનની ઐતિહાસિક સફળતા સાથે લેન્ડરે ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર ઉતરાયણ કરીને ભારતે ઇતિહાસ રચ્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવનમાં આ રોમાંચક પળોનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.






Latest News