માળિયા (મી)ના ભીમસર ઓવરબ્રિજ પાસે ડબલ સવારી બાઇક સ્લીપ થતાં એક યુવાનનું મોત, એકને ઇજા
મોરબીમાં રવિવારે ગોસ્વામી સમાજનો વિધાર્થી સન્માન સમારોહ યોજાશે
SHARE
મોરબીમાં રવિવારે ગોસ્વામી સમાજનો વિધાર્થી સન્માન સમારોહ યોજાશે
મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા દ્વિતીય વિધાર્થી સન્માન સમારોહ ને સાથે પારિવારિક સ્નેહમિલનનું આયોજન તા ૨૭ ને રવિવારે સવારે ૯:૩૦ કલાકે સિધ્ધિ વિનાયક વાળી સરદાર બાગ સામે પેટ્રોલપંપ વાળી શેરી ખાતે યોજાશે.
આ કાર્યક્રમમાં સંતો, મહંતો મોરબી સહિત સૌરાષ્ટ્ર ગુજરાતના ગોસ્વામી સમાજના આગેવાનો અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ સન્માન સમારોહમાં બપોરે ૧૨:૩૦ કલાકે સમુહભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ સમારોહને સફળ બનાવવા મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળના પ્રમુખ તેજશગીરી મગનગીરી, ઉપપ્રમુખ બળવંતગીરી, મંત્રી નિતેશગીરી,પૂર્વ પ્રમુખ અમીતગીરી ગુણવંતગીરી સહિત યુવક મંડળની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.