મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર જીઆઇડીસીમાં આગ લાગતા નુકસાની


SHARE













મોરબીના રફાળેશ્વર જીઆઇડીસીમાં આગ લાગતા નુકસાની

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાડેશ્વર ગામે આવેલ જીઆઇડીસી સામે અરૂણ ઓટો સ્પ્રિંગ નામના કારખાનાના સેડમાં ઓઇલના ટેન્ક પાસે આગ લાગવાનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં નુકસાની થવા પામતા પોલીસમાં જાણ કરાઈ હોય પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી હતી.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના શનાળા રોડ શક્તિ પ્લોટમાં આવેલ શાંતિનિકેતન એપાર્ટમેન્ટમાં રહેતા અભિષેકભાઈ મહેશભાઈ મહેતા જાતે જૈન વાણીયાએ તાલુકા પોલીસ મથક ખાતે આવીને જાહેર કર્યું હતું કે રફાળેશ્વર ગામે આવે જીઆઇડીસી સામેના અરૂણ ઓટો સ્પ્રિંગ નામના શેડમાં સ્પ્રિંગ (કમાન પાટા) બનાવવાના યુનિટમાં સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું તે મુજબ યુનિટમાં કામ કરી રહેલા ભાણજીભાઈ મંગાભાઈ પરેચા અને વિનોદભાઈ બાબુલાલ સૂર્યવંશી કામ કરી રહ્યા હતા તે દરમિયાનમાં હાઇડ્રોલિક ગેસથી ચાલતી ભઠ્ઠીમાંથી ઊંચા તાપમાને ગરમ થયેલા લોખંડના પાટા ઓઇલ ટેંકના સંપર્કમાં આવતા આગ લાગવાનો બનાવ બન્યો હતો અને જે બનાવમાં ઓઇલ ટેન્કમાં તથા આસપાસમાં નુકસાની થઈ હતી. આગમાં નુકસાની થવા અંગે તેઓ દ્વારા તાલુકા પોલીસમાં કરવામાં આવેલી ઉપરોકત જાણના પગલે હાલ તાલુકા પોલીસ મથકના એમ.જે.કહાંગરા દ્વારા બનાવ સંદર્ભે તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા પાનેલી રોડે સિરામિક યુનિટ પાસે રહીને ત્યાં મજૂરી કામ કરતા વિકાસ રામપાલભાઈ મૌર્ય નામનો ૨૧ વર્ષનો યુવાન કોઈ અગમ્ય કારણોસર ફિનાઇલ પી ગયો હોય તેને સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યો હતો તેમ તાલુકા પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.ઉપરોક્ત બનાવ અંગે હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ મથકના એમ.જે.કહાંગરા દ્વારા આ બાબતે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

મહિલા સારવારમાં

માળીયા મિંયાણા ખાતે રહેતા મરીયનબેન કરીમભાઈ જેડા નામની ૪૦ વર્ષીય મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.તેઓ કોઈ કારણોસર વધુ પડતી ઊંઘની ગોળીઓ ખાઈ ગયા હોવાથી માળિયા ખાતેની હોસ્પિટલે સારવાર લીધા બાદ તેઓને વધુ સારવાર માટે મોરબીની સિવિલે લાવવામાં આવ્યા હોવાનું મોરબી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.હોસ્પિટલ ખાતે તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ આ અંગે એ ડિવિઝનમાં થયેલી જાણ ના પગલે તપાસ અધિકારી હરેશભાઈ ચાવડાએ પહોંચીને આ બાબતે વધુ તપાસ શરૂ કરી હતી અને બનાવ માળિયા પંથકનો હોય ત્યાં આ બાબતે જાણ કરવા તજવીજ હાથ ધરાઈ હતી.






Latest News