દેશને અંગદાન, દેહદાન અને પર્યાવરણનું જતન આ ત્રણ મેસેજ આપવા માટે દિલ્હીના ડીસીપી વિપુલ અનેકાંત દ્વારા સાયકલ યાત્રા દીકરીના જન્મ દિવસની અનોખી ઉજવણી: મોરબીમાં 11,111 બાજરાના રોટલા ગાયોને ખવડાવવા માટે 70 ચૂલા ચાલુ કર્યા મોરબીમાં શિવરાત્રિ નિમિતે સમસ્ત સતવારા સમાજ-જય મહાકાલ ગ્રુપ દ્વારા દર ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે જીએસટી અધિકારીઓ દ્વારા સેમિનાર યોજાયો માળીયા (મી) પાલિકાના ભાજપના માજી સભ્ય કમળને રામ રામ કરીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા મોરબીના લીલાપર નજીક યુવાન ઉપર અજાણ્યા ત્રણ શખ્સ દ્વારા છરી વડે હુમલો: પેટ, છાતી, વાંસા અને નાક પાસે છરીના ઘા ઝીકયા મોરબીમાં સિરામિક કારખાનેદાર સહિત 5 સામે અકસ્માતના બનાવમાં બેદરકારી-રાજ્ય સેવકને ખોટી માહિતી આપવાનો ગુનો નોંધાયો માળીયા (મી)ના વાધરવા ગામ પાસે બંધ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર જીઆઇડીસીમાં આગ લાગતા નુકસાની


SHARE













મોરબીના રફાળેશ્વર જીઆઇડીસીમાં આગ લાગતા નુકસાની

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાડેશ્વર ગામે આવેલ જીઆઇડીસી સામે અરૂણ ઓટો સ્પ્રિંગ નામના કારખાનાના સેડમાં ઓઇલના ટેન્ક પાસે આગ લાગવાનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં નુકસાની થવા પામતા પોલીસમાં જાણ કરાઈ હોય પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી હતી.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના શનાળા રોડ શક્તિ પ્લોટમાં આવેલ શાંતિનિકેતન એપાર્ટમેન્ટમાં રહેતા અભિષેકભાઈ મહેશભાઈ મહેતા જાતે જૈન વાણીયાએ તાલુકા પોલીસ મથક ખાતે આવીને જાહેર કર્યું હતું કે રફાળેશ્વર ગામે આવે જીઆઇડીસી સામેના અરૂણ ઓટો સ્પ્રિંગ નામના શેડમાં સ્પ્રિંગ (કમાન પાટા) બનાવવાના યુનિટમાં સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું તે મુજબ યુનિટમાં કામ કરી રહેલા ભાણજીભાઈ મંગાભાઈ પરેચા અને વિનોદભાઈ બાબુલાલ સૂર્યવંશી કામ કરી રહ્યા હતા તે દરમિયાનમાં હાઇડ્રોલિક ગેસથી ચાલતી ભઠ્ઠીમાંથી ઊંચા તાપમાને ગરમ થયેલા લોખંડના પાટા ઓઇલ ટેંકના સંપર્કમાં આવતા આગ લાગવાનો બનાવ બન્યો હતો અને જે બનાવમાં ઓઇલ ટેન્કમાં તથા આસપાસમાં નુકસાની થઈ હતી. આગમાં નુકસાની થવા અંગે તેઓ દ્વારા તાલુકા પોલીસમાં કરવામાં આવેલી ઉપરોકત જાણના પગલે હાલ તાલુકા પોલીસ મથકના એમ.જે.કહાંગરા દ્વારા બનાવ સંદર્ભે તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા પાનેલી રોડે સિરામિક યુનિટ પાસે રહીને ત્યાં મજૂરી કામ કરતા વિકાસ રામપાલભાઈ મૌર્ય નામનો ૨૧ વર્ષનો યુવાન કોઈ અગમ્ય કારણોસર ફિનાઇલ પી ગયો હોય તેને સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યો હતો તેમ તાલુકા પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.ઉપરોક્ત બનાવ અંગે હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ મથકના એમ.જે.કહાંગરા દ્વારા આ બાબતે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

મહિલા સારવારમાં

માળીયા મિંયાણા ખાતે રહેતા મરીયનબેન કરીમભાઈ જેડા નામની ૪૦ વર્ષીય મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.તેઓ કોઈ કારણોસર વધુ પડતી ઊંઘની ગોળીઓ ખાઈ ગયા હોવાથી માળિયા ખાતેની હોસ્પિટલે સારવાર લીધા બાદ તેઓને વધુ સારવાર માટે મોરબીની સિવિલે લાવવામાં આવ્યા હોવાનું મોરબી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.હોસ્પિટલ ખાતે તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ આ અંગે એ ડિવિઝનમાં થયેલી જાણ ના પગલે તપાસ અધિકારી હરેશભાઈ ચાવડાએ પહોંચીને આ બાબતે વધુ તપાસ શરૂ કરી હતી અને બનાવ માળિયા પંથકનો હોય ત્યાં આ બાબતે જાણ કરવા તજવીજ હાથ ધરાઈ હતી.






Latest News