મોરબીમાં ઇ-મેમોના કેસોનો નિકાલ કરવા યોજાશે લોક અદાલત: પછી સીધી ફોજદારી
મોરબી શહેર ભાજપ કાર્યાલય ખાતે મતદાતા ચેતના અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઇ
SHARE
મોરબી શહેર ભાજપ કાર્યાલય ખાતે મતદાતા ચેતના અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઇ
મોરબી શહેર ભાજપ કાર્યાલય ખાતે નવા મતદારોને મતદાર યાદીમાં જોડવા તેમજ મતદાર યાદીની ચકાસણી માટે સમગ્ર દેશમાં 'મતદાતા ચેતના અભિયાન' શરૂ થનાર છે.આ અભિયાનની તાલીમ માટેની કાર્યશાળા મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયાની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી.આ સમયે પ્રદેશના આગેવાન પ્રદીપભાઈ વાળા, મોરબી શહેર પ્રભારી પ્રજ્ઞેશભાઈ પટેલ, મહામંત્રી રિશીપભાઈ કૈલા, ભાવેશભાઇ કંઝારીયા અને હસુભાઈ પંડ્યાએ માર્ગદર્શન આપ્યું હતુ.આ સમયે મોરબી શહેર સંગઠન પ્રમુખ, પ્રભારીઓ, વિવિધ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, પૂર્વ કાઉન્સિલરો તેમજ બુથ પ્રમુખો હાજર રહ્યા હતા.