મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસેથી દારૂ ભરેલ કાર સાથે એક શખ્સની ધરપકડ, બેની શોધખોળ: ૧.૧૫ લાખનો મુદામાલ કબ્જે


SHARE







મોરબીના બંધુનગર પાસેથી દારૂ ભરેલ કાર સાથે એક શખ્સની ધરપકડ, બેની શોધખોળ: ૧.૧૫ લાખનો મુદામાલ કબ્જે

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ પાસેથી પસાર થઈ રહેલી એસન્ટ કારને એલસીબીની ટીમ દ્વારા રોકવામાં આવી હતી અને તે કારને ચેક કરવામાં આવતા કારમાંથી ૫૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ, મોબાઈલ અને કાર આમ કુલ મળીને ૧.૧૫ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને બે શખ્સના નામ સામે આવ્યા હોય તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર પાસે ઓક્ટ્રી હોટલ સામેથી પસાર થઈ રહેલ નંબર પ્લેટ વગરની એસેન્ટ કારને એલસીબીની ટીમ દ્વારા રોકવામાં આવી હતી અને તે કારની તલાસી લેવામાં આવતા તેમાંથી જુદા જુદા બાચકામાં કુલ મળીને ૫૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ૧૦ હજાર રૂપિયાની કિંમતનો દારૂ તથા ૫૦૦૦ ની કિંમતનો એક મોબાઈલ ફોન અને એક લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૧.૧૫ લાખ ના મુદ્દામાલ સાથે જયરાજભાઈ વલકુભાઈ ગોવાળિયા જાતે કાઠી દરબાર (૩૦) રહે કુંઢડા તાલુકો ચોટીલા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી માલ મોકલાવનાર વનરાજભાઈ ગીડા જાતે કાઠી દરબાર રહે. ડાકવડલા તાલુકો ચોટીલા અને માલ લેનાર જયશ્રીબેન ભુપતભાઈ પાટડીયા રહે. માટેલ તાલુકો વાંકાનેર વાળાનું નામ સામે આવ્યું હોય તે બંનેની સામે પણ ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વૃદ્ધનું મોત

વાંકાનેરમાં આવેલ વિવેકાનંદ સોસાયટીમાં રહેતા કાંતિલાલ રણછોડભાઈ વેદ (૭૪) પોતે પોતાના ઘરે હતા ત્યારે હાર્ટ અટેક આવતા તેઓનું મૃત્યુ નીપજયું હતું ત્યારબાદ તેને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News