રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસેથી દારૂ ભરેલ કાર સાથે એક શખ્સની ધરપકડ, બેની શોધખોળ: ૧.૧૫ લાખનો મુદામાલ કબ્જે


SHARE









મોરબીના બંધુનગર પાસેથી દારૂ ભરેલ કાર સાથે એક શખ્સની ધરપકડ, બેની શોધખોળ: ૧.૧૫ લાખનો મુદામાલ કબ્જે

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ પાસેથી પસાર થઈ રહેલી એસન્ટ કારને એલસીબીની ટીમ દ્વારા રોકવામાં આવી હતી અને તે કારને ચેક કરવામાં આવતા કારમાંથી ૫૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ, મોબાઈલ અને કાર આમ કુલ મળીને ૧.૧૫ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને બે શખ્સના નામ સામે આવ્યા હોય તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર પાસે ઓક્ટ્રી હોટલ સામેથી પસાર થઈ રહેલ નંબર પ્લેટ વગરની એસેન્ટ કારને એલસીબીની ટીમ દ્વારા રોકવામાં આવી હતી અને તે કારની તલાસી લેવામાં આવતા તેમાંથી જુદા જુદા બાચકામાં કુલ મળીને ૫૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ૧૦ હજાર રૂપિયાની કિંમતનો દારૂ તથા ૫૦૦૦ ની કિંમતનો એક મોબાઈલ ફોન અને એક લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૧.૧૫ લાખ ના મુદ્દામાલ સાથે જયરાજભાઈ વલકુભાઈ ગોવાળિયા જાતે કાઠી દરબાર (૩૦) રહે કુંઢડા તાલુકો ચોટીલા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી માલ મોકલાવનાર વનરાજભાઈ ગીડા જાતે કાઠી દરબાર રહે. ડાકવડલા તાલુકો ચોટીલા અને માલ લેનાર જયશ્રીબેન ભુપતભાઈ પાટડીયા રહે. માટેલ તાલુકો વાંકાનેર વાળાનું નામ સામે આવ્યું હોય તે બંનેની સામે પણ ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વૃદ્ધનું મોત

વાંકાનેરમાં આવેલ વિવેકાનંદ સોસાયટીમાં રહેતા કાંતિલાલ રણછોડભાઈ વેદ (૭૪) પોતે પોતાના ઘરે હતા ત્યારે હાર્ટ અટેક આવતા તેઓનું મૃત્યુ નીપજયું હતું ત્યારબાદ તેને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News